ભરૂચ : શુક્લતીર્થ ખાતે નદીમાં ડૂબી જતાં 3 લોકોના મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ કર્યા તંત્રના અધિકારીઓ પર પ્રહાર..!

ભરૂચ જિલ્લાના શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.

New Update
  • શુક્લતીર્થ ખાતે નદીમાં ડૂબી જતાં 3 લોકોના મોતનો મામલો

  • સાંસદ મનસુખ વસાવાએ કર્યા તંત્રના અધિકારીઓ પર પ્રહાર

  • નદીમાંથી ગેરકાયદે થઈ રહ્યું છે રેતી ખનન : મનસુખ વસાવા

  • રેતી ખનનના કારણે દુર્ઘટના સર્જાતી હોવાનો કરાયો આક્ષેપ

  • રાજકીય વગ ધરાવતા લોકો પણ વેપલામાં સામેલ : સાંસદ

ભરૂચ જિલ્લાના શુક્લતીર્થના ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન 4 લોકોના મૃત્યુ પામવાની ઘટનામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ નિર્દોષ લોકોના નર્મદા નદીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજવાની ઘટના પાછળ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર જવાબદાર હોવાનો હળહળતો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, ખાણ અને ખનીજ વિભાગની મીલીભગતથી રેતી માફિયા બેફામ બન્યા છેજેથી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનનના કારણે આવી દુર્ઘટના સર્જાતી હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું.

અગાઉ પણ નારેશ્વર તેમજ પોઇચા સહિતના સ્થળે કેટલાક લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે, ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ ખનીજ માફિયાઓ પર લગામ ન કસતા ઉપરાંત રાજકીય વગ ધરાવતા લોકો પણ આ વેપલામાં સંડોવાયા હોવાથી વારંવાર આવી દુર્ઘટના સર્જાતી હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રીને અગાઉ પણ રેતી માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, 3-4 મહિના ગેરકાયદેસર રેતી ખનન પર નિરંતર આવ્યા બાદ ફરી ગેરકાયદે પ્રવૃત્તિ બેફામ બની છે, ત્યારે રેતી માફીઆઓના ગાંધીનગર સુધી રાજકીય કનેક્શન હોવાનો પણ સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે.

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.