ભરૂચ: નેત્રંગમાં ચોર સમજી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મરાયો માર

ભરૂચ જિલ્લામાં ચોર ટોળકી સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહેલા મેસેજ વચ્ચે નેત્રંગમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો

New Update

ભરૂચમાં અફવા બજાર ગરમ

ચોર ટોળકી અંગે વાયરલ થયા છે મેસેજ

નેત્રંગમાં ચોર સમજી અધિકારીઓને માર મરાયો

ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ નીકળ્યા હતા ચેકીંગમાં

મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઇ

ભરૂચ જિલ્લામાં ચોર ટોળકી સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહેલા મેસેજ વચ્ચે નેત્રંગમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો

સુરત જિલ્લા ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ હિતેશ પટેલ તેમજ તેમની ટીમ સાથે ગેરકાયદેસર ખનીજની ખનન, વહન સંગ્રહ જેવી પ્રવૃતિને અટકાવવાની કામગીરી કરવા માટે નીકળ્યા હતા .ઝઘડિયા જીઆઇડીસીથી ધારોલી થઈ ગામડાઓના રસ્તા નેત્રંગ જવા માટે અસનાવી ગામ આવતા ટોળાએ રોકતા તેને ઓળખાણ આપી,આઈકાર્ડ બતાવી અંદર યુનિફોર્મ પહેરેલા હોવા છતાં પણ ઝઘડો કરી ગમે તેમ બોલતા વાતાવરણ ઉગ્ર થઈ ગયું હતું.લોકોના ટોળાએ અધિકારીઓ સાથે ટપલી દાવ પણ કર્યો હતો.અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાતા તેઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જ હોવાનો ખુલાસો થયો હતો.આ મામલામાં ચાર લોકો વિરુદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. પંકજ આર વસાવા, પંકજ એ વસાવા,જીગ્નેશ એમ વસાવા અને વિપુલ એમ વસાવા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.