ભરૂચ: નેત્રંગમાં ચોર સમજી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મરાયો માર

ભરૂચ જિલ્લામાં ચોર ટોળકી સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહેલા મેસેજ વચ્ચે નેત્રંગમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો

New Update

ભરૂચમાં અફવા બજાર ગરમ

ચોર ટોળકી અંગે વાયરલ થયા છે મેસેજ

નેત્રંગમાં ચોર સમજી અધિકારીઓને માર મરાયો

ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ નીકળ્યા હતા ચેકીંગમાં

મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઇ

ભરૂચ જિલ્લામાં ચોર ટોળકી સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહેલા મેસેજ વચ્ચે નેત્રંગમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો

સુરત જિલ્લા ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ હિતેશ પટેલ તેમજ તેમની ટીમ સાથે ગેરકાયદેસર ખનીજની ખનન, વહન સંગ્રહ જેવી પ્રવૃતિને અટકાવવાની કામગીરી કરવા માટે નીકળ્યા હતા .ઝઘડિયા જીઆઇડીસીથી ધારોલી થઈ ગામડાઓના રસ્તા નેત્રંગ જવા માટે અસનાવી ગામ આવતા ટોળાએ રોકતા તેને ઓળખાણ આપી,આઈકાર્ડ બતાવી અંદર યુનિફોર્મ પહેરેલા હોવા છતાં પણ ઝઘડો કરી ગમે તેમ બોલતા વાતાવરણ ઉગ્ર થઈ ગયું હતું.લોકોના ટોળાએ અધિકારીઓ સાથે ટપલી દાવ પણ કર્યો હતો.અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાતા તેઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જ હોવાનો ખુલાસો થયો હતો.આ મામલામાં ચાર લોકો વિરુદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. પંકજ આર વસાવા, પંકજ એ વસાવા,જીગ્નેશ એમ વસાવા અને વિપુલ એમ વસાવા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: મામલતદાર કચેરીમાં રૂ.25 લાખના ખર્ચે નિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન, 95 ગામના લોકોનો મળશે લાભ

જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે

New Update
  • ભરૂચ મામલતદાર કચેરીમાં નિર્માણ કરાયુ

  • જન સેવા કેન્દ્રનું નવીનીકરણ કરાયુ

  • રૂ.25 લાખનો ખર્ચ કરાયો

  • મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન

  • 95 ગામના લોકોને થશે લાભ

ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુંmઆ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેકટર એન. આર. ધાંધલ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે