ભરૂચ:બૌડામાંથી 8 કી.મી.ની બહારના ગામોને છૂટ આપવાની માંગ,કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને બૌડામાંથી છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને  આવેદનપત્ર પાઠવાયું

New Update

ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ  ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને બૌડામાંથી છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને  આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી

ભરૂચ કિશાન વિકાસ સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં ભરૂચ તાલુકાના 44 ગામો ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના કુલ 45 ગામો તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.બૌડા વિસ્તારમાં આવેલ ગામો પૈકી બોડાની આઠ કિલોમીટરની અંદરમાં આવેલ ગામોનો વિકાસ 1970થી થતો આવ્યો છે. જ્યારે આઠ કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહિવત છે એટલે કે બિલકુલ ઓછો છે. 10% થી પણ ઓછો વિકાસ આ ગામોમાં થયેલો છે.બૌડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાનમાં ઝોન પાડવામાં આવ્યા હતા જેમાં ઝોન દર્શાવવામાં ગંભીર પ્રકારની ભૂલો કાઢવામાં આવી છે જેના કારણે બૌડા વિસ્તારમાં આવતા ગામડાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ ભરૂચમાં સમાવેલ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો તાત્કાલિક સુધારવામાં આવે અને આઠ કિલોમીટરની બહારના ગામોને મુક્તિ આપવાની માંગ કરી હતી સાથે જ પુર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવાની પણ માંગ કરવામાં આવી હતી
Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.