ભરૂચ:બૌડામાંથી 8 કી.મી.ની બહારના ગામોને છૂટ આપવાની માંગ,કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને બૌડામાંથી છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને  આવેદનપત્ર પાઠવાયું

New Update

ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ  ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને બૌડામાંથી છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા કલેકટરને  આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી

ભરૂચ કિશાન વિકાસ સંઘ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં ભરૂચ તાલુકાના 44 ગામો ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર તાલુકાના કુલ 45 ગામો તથા અંકલેશ્વર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.બૌડા વિસ્તારમાં આવેલ ગામો પૈકી બોડાની આઠ કિલોમીટરની અંદરમાં આવેલ ગામોનો વિકાસ 1970થી થતો આવ્યો છે. જ્યારે આઠ કિલોમીટરની બહારના ગામોનો વિકાસ નહિવત છે એટલે કે બિલકુલ ઓછો છે. 10% થી પણ ઓછો વિકાસ આ ગામોમાં થયેલો છે.બૌડા દ્વારા ડેવલપમેન્ટ પ્લાનમાં ઝોન પાડવામાં આવ્યા હતા જેમાં ઝોન દર્શાવવામાં ગંભીર પ્રકારની ભૂલો કાઢવામાં આવી છે જેના કારણે બૌડા વિસ્તારમાં આવતા ગામડાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ ભરૂચમાં સમાવેલ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો તાત્કાલિક સુધારવામાં આવે અને આઠ કિલોમીટરની બહારના ગામોને મુક્તિ આપવાની માંગ કરી હતી સાથે જ પુર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવાની પણ માંગ કરવામાં આવી હતી
Read the Next Article

ભરૂચ: નેત્રંગમાં યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં જોડાયા

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • આજે આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી

  • ભરૂચના નેત્રંગમાં યોજાયો કાર્યક્રમ

  • આદિવાસી દિવસની કરવામાં આવી ઉજવણી

  • કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી જોડાયા

  • ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ તારીખ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ નામના સંગઠન દ્વારા આદિવાસી દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.તો સાથે જ આગેવાનોએ પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા આદિવાસીઓના હક સંવિધાન તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપે જે મત મેળવ્યા છે, એ છેતરપીંડીથી મેળવ્યા છે જેને રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ મૂક્યું છે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.

તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે આથી તેનો વિરોધ કરવામાં આવે છે.