અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ખેડૂતોની દયનીય હાલત,પાછોતરા વરસાદમાં પલળી ગયેલ ડાંગરને રોડ પર સૂકવવા મૂક્યું !

અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસેલા પાછોતરા વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ખેતરમાં પલળી ગયેલ ડાંગરને ખેડૂતોએ મુખ્ય માર્ગ પર સુકવવા મૂક્યું છે

New Update
a

અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસેલા પાછોતરા વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ખેતરમાં પલળી ગયેલ ડાંગરને ખેડૂતોએ મુખ્ય માર્ગ પર સુકવવા મૂક્યું છે

ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બાદ ઓક્ટોબર મહિનામાં પણ નવરાત્રી અને ત્યાર પછીના સમયગાળામાં વરસાદ વરસતા ખેડૂતોના માથે ચિંતાની લકીરો જોવા મળી હતી ત્યારે ખેડૂતોએ વાવેલ ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ ડાંગરના પાકની લણણી કરી કરી લીધી છે.નવરાત્રિ બાદ પણ વરસાદનું આગમન થતાં ખેતરોમાં ઉભા ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચવાને કારણે ખેડૂતોએ દિવાળીના તહેવાર સામે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.જો કે, છેલ્લા ઘણા દિવસથી મોટા ભાગના ખેડૂતો દ્વારા ખેતરમાં પલળી ગયેલા ડાંગરના પાકની લણણી કરીને રસ્તા પર સુકવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.હાંસોટના પંડવાઈ, સિસોદ્રા, પરવટ સહિતના ગામોમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે.