અંકલેશ્વર: જુના નેશનલ હાઇવે પર આવેલ અક્ષર આઇકોનના બંધ મકાનમાંથી રૂ.5.59 લાખના માલમત્તાની ચોરી

ભરૂચ -અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર આવેલ અક્ષર આઈકોન રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 5.59 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા 

thieves
New Update

ભરુચ-અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર આવેલ અક્ષર આઈકોન રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 5.59 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા 

મૂળ મહારાષ્ટ્ર અને હાલ ભરુચ-અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર આવેલ અક્ષર આઈકોન રેસિડેન્સીમાં રહેતા જયોતિભુષણસિંહ વ્રજભુષણસિંહ સાયખા જી.આઈ.ડી.સી.માં આવેલ વેલિયન્ટ એડવાન્સ સાયન્સસિઝ કંપનીમાં ડિરેકટર તરીકે નોકરી કરે છે.જેઓ ગત તારીખ-10મી ઓગસ્ટના રોજ પોતાના પરિવાર સાથે વડોદરા ખાતે રહેતા સંબંધીને ત્યાં ખબર અંતર પૂછવા ગયા હતા જેઓ ત્યાં રાતે રોકાઈ ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 50 હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ 5.59 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Bharuch #CGNews #Ankleshwar #Theft #thieves #home #road #Stole #Akshar icon
Here are a few more articles:
Read the Next Article