અંકલેશ્વર-વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક વરસાદી પાણી ફરી વળ્યા, ઘસમસતા પાણી વચ્ચે કાર ફસાઈ

ભરૂચના વાલીયા પંથકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો.

New Update
  • ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ

  • વાલિયા પંથકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો

  • નલધરી ગામ નજીક પાણી ફરી વળ્યા

  • પાણી વચ્ચે પેસેન્જર કાર ફસાઈ

  • વાહનવ્યવહાર બંધ

ભરૂચના વાલીયા પંથકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો હતો.
ભરૂચ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાલીયા પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર હાલ નાળાની કામગીરી ચાલી રહી છે જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. કોતર નજીક બનાવાયેલા ડાયવર્ઝન પરથી વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો.
ડાયવર્ઝન પરથી વહેતા ધસમસતા પાણી વચ્ચેથી પસાર થતા એક પેસેન્જર ઇકો કાર પણ ફસાઈ ગઈ હતી જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અને ટ્રકની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી.આ તરફ વરસાદી પાણીના પગલે અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો જેના પગલે પોલીસ કાફલો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.