અંકલેશ્વર-વાલિયા માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી

અંકલેશ્વર-વાલિયાને જોડાતા માર્ગના નવીનીકરણની કામગીરી સાથે રોડ પરના નાળા પણ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના પગલે ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વરથી નેત્રંગને જોડતો મહત્વનો માર્ગ

રૂ.50 કરોડના ખર્ચે સમારકામની કામગીરી

યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાય

રસ્તામાં આવતા નાળા પણ પહોળા કરાશે

ઠેર ઠેર ડાયવર્ઝન અપાયા

અંકલેશ્વર-વાલિયાને જોડાતા માર્ગના નવીનીકરણની કામગીરી સાથે રોડ પરના નાળા પણ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના પગલે ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતો માર્ગ ચોમાસાની સીઝનમાં અત્યંત બિસ્માર બન્યો ત્યારે 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે રૂપિયા 50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજુર કરવામાં આવ્યુ હતું ત્યારે માર્ગના સમારકામની કામગીરીનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ બાદ યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ માર્ગ ઉપર આવતા નાના-મોટા નાળા પણ પહોળા કરવામાં આવી રહ્યા છે.જેને પગલે કેટલાક સ્થળે  ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. ડાયવર્ઝનના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. 
Read the Next Article

ભરૂચ : વરસાદની તોફાની બેટિંગથી શહેર વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી,વાહન ચાલકો માટે સર્જાય મુશ્કેલી,જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો

New Update
  • ભરૂચ જિલ્લામાં વરસાદની તોફાની ઈનિંગ

  • શહેરમાં દોઢ ઇંચ વરસાદથી જળબંબાકાર

  • વિવિધ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

  • અંકલેશ્વર-હાંસોટમાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો

  • જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી  

ભરૂચ જિલ્લામાં સોમવારની શુભ શરૂઆત મુશળધાર વરસાદથી થઇ હતી,અને સેવાશ્રમ,પાંચબત્તી,કસક,ગાંધી બજાર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો,જ્યારે ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી.જાણવા મળ્યા મુજબ ભરૂચમાં દોઢ ઇંચ જ્યારે અંકલેશ્વર અને હાંસોટમાં એક - એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.અને ભરૂચ શહેરમાં જળબંબાકારની જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું હતું.

ભરૂચ શહેરના પાંચબત્તી,સેવાશ્રમ રોડ,ગાંધી બજાર ચાર રસ્તા,કસક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા વાહન ચાલકો સહિત વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અને દર વર્ષે વરસાદની મોસમમાં આ માર્ગો પર વરસાદી પાણી ભરાય છે,ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ઘટના સંદર્ભે યોગ્ય કામગીરી કરવામાં તેવી માંગ  ઉઠવા પામી હતી.