ભરૂચ: દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ, સમુદ્ર કાંઠે પોલીસનું સતત પેટ્રોલિંગ !

ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઈટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે. સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરી રહી છે.

New Update
  • ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ

  • સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ

  • ભરૂચ જિલ્લામાં પણ પોલીસ એલર્ટ

  • સમુદ્ર કાંઠે સઘન બંદોબસ્ત ગોઠવાયો

  • પોલીસની સોશ્યલ મીડિયા પર નજર

Advertisment W3.CSS
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સુરક્ષા વધારવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે ખાસ કરીને ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ વિશેષ તકેદારી રાખી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર સહીત દહેજ પોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે. ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઈટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે. સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરાઈ રહી છે. 
મરિન પોલીસ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતને તરત જ દબાવી શકાય તે માટે તમામ એજન્સીઓ એલર્ટ પર રાખવામાં આવી છે.આ સાથે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર દેશદ્રોહને લગતી તેમજ ઉશ્કેરની જનક પોસ્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.