ભરૂચ-અંકલેશ્વરમાં સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ શરૂ કરાશે, બજેટમાં કરવામાં આવી અનેક મહત્વપૂર્ણ જોગવાઈ

રાજ્યના રજુ થયેલા સામાન્ય બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં ભાડભુત બેરેજ યોજના, અંકલેશ્વર અને જંબુસરના ઉદ્યોગો માટે અનેક લાભદાયક જાહેરાતો કરવામાં આવી છે

New Update
  • નાણા પ્રધાને બજેટ કર્યું રજૂ

  • બજેટમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈ

  • ભરૂચ અંકલેશ્વર માટે કરવામાં આવી જાહેરાત

  • ભાડભૂત બેરેજ-જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક માટે રૂપિયા ફાળવાયા

  • ભરૂચ- અંકલેશ્વરમાં સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ શરૂ કરાશે

Advertisment
રાજ્યના રજુ થયેલા સામાન્ય બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં ભાડભુત બેરેજ યોજના, અંકલેશ્વર અને જંબુસરના ઉદ્યોગો માટે અનેક લાભદાયક જાહેરાતો કરવામાં આવી છે

નાણાપ્રધાન કનુ દેસાઈ દ્વારા આજરોજ વિધાનસભાગૃહમાં રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ઘણી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે આપણે નજર કરીશું ભરૂચ જિલ્લા માટે આ બજેટમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે.સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભાડભુત બેરેજ યોજના માટે વધારાના રૂપિયા 876 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા આ બેરેજનું કામ હાલ પ્રગતિમાં છે.

આ તરફ બજેટમાં ઉદ્યોગો માટે પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે અંકલેશ્વર સાથે સરીગામ, વાપી અને સુરત ખાતે ચાલુ તેમજ અમદાવાદ અને જંબુસર તેમજ સાયખાના નવા ડીપ-સી પ્રોજેક્ટ માટે રૂપિયા 785 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ સાથે જંબુસરમાં નિર્માણ પામી રહેલ બલ્કડ્રગ પાર્કને વિકસાવવા માટે રૂ.290 કરોડ તેમજ 42 કિલોમીટરની લાંબી પાઇપલાઇન થકી રો વોટર સપ્લાય માટે 225 કરોડ એમ કુલ રૂપિયા 515 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આ તરફ રાજ્ય સરકારે ઔદ્યોગિક વિસ્તારોને જોડતા કુલ ૬૩ રસ્તાઓની સુધારણા મજબુતરીકરણની કામગીરી માટે રૂપિયા 528 કરોડની જોગવાઈ કરી છે આ રસ્તાઓમાં ભરૂચ અને અંકલેશ્વરના રસ્તાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર અને ભરૂચમાં વધતા જતા હવા પ્રદુષણને ધ્યાનમાં રાખી અન્ય જિલ્લાઓની જેમ ભરૂચ અને અંકલેશ્વરમાં પણ સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ હાથ ધરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અંકલેશ્વરમાં નવી રજીસ્ટર કચેરીનું પણ નિર્માણ કરવામાં આવશે.આમ બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ ઘણી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે જેને ઉદ્યોગપતિઓ આવકારી રહ્યા છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment