અંકલેશ્વર: સારંગપુર પાટીયા નજીકથી ભંગારનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, એક આરોપીની અટકાયત

સારંગપુર પાટિયા પાસે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસ.એસ.નો ભંગાર અને એસ.એસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો

New Update
  • અંકલેશ્વરમાં એસ.ઓ.જી.પોલીસની કાર્યવાહી

  • ભંગારનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

  • ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપાયો

  • એક આરોપીની પોલીસે કરી અટકાયત

  • રૂ.3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરાય

ભરૂચ એસ.ઓ.જીએ ઝઘડિયા-અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસેથી શંકાસ્પદ એસ.એસનો ભંગાર  ભરેલ ટેમ્પો મળી કુલ ૩.૭૩ લાખના મુદ્દામાલ સાથે ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા જી.આઈ.ડી.સી.થી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો અંકલેશ્વરના કાપોદ્રા રોડ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે ઝઘડિયા-અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસે પોલીસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસ.એસ.નો ભંગાર અને એસ.એસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો.
પોલીસે ભડકોદ્રા ગામની ગ્રીન વેલી રો-હાઉસમાં રહેતો ચાલક મોહમંદ વસીમ મોહમંદ ઈસા ખાનની ભંગાર અંગે પુછપરછ કરતા તે ઝઘડિયા જી.આઈ.ડી.સી.ની નુબર્ગ એન્જીનીયરીંગ ખાતેથી નોબલ માર્કેટના સ્ક્રેપનું ગોડાઉન ધરાવતા ઈસરાર ઉર્ફે સોનુંએ ભરાવ્યું હોવાનું જણાવ્યું હતું.પોલીસે ૫૭૮૦ કિલો ભંગાર તેમજ ટેમ્પો મળી કુલ ૩.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો.
Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.