ભાવનગર : ચા પીવડાવી લૂંટ ચલાવનાર 2 ઇસમો ઝડપાયા, મોબાઈલ સહિત રોકડ રકમ જપ્ત

ભાવનગર શહેરમાં નશીલા દ્રવ્ય પીવડાવી 6 જેટલાં ટ્રક ડ્રાઇવારોના મોબાઈલ અને રોકડની ચોરી કરનાર 2 ઇસમો ઝડપાયા છે.

New Update
ભાવનગર : ચા પીવડાવી લૂંટ ચલાવનાર 2 ઇસમો ઝડપાયા, મોબાઈલ સહિત રોકડ રકમ જપ્ત

ભાવનગર શહેરમાં નશીલા દ્રવ્ય પીવડાવી 6 જેટલાં ટ્રક ડ્રાઇવારોના મોબાઈલ અને રોકડની ચોરી કરનાર 2 ઇસમો ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બન્ને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, 2 હિન્દીભાષી ઇસમો આખલોલ જકાતનાકા પુલ નજીક કેટલાક લોકોને મોબાઇલ બતાવી વેચવાનો પ્રયાસ કરે છે. તેઓ પાસે 5 જેટલાં મોબાઇલ ફોન છે, જે તેઓ કયાંકથી ચોરી કરી લાવ્યા હોવાની શંકાએ પોલીસે સ્થળ પર પહોચી બન્ને હિન્દીભાષીની તલાશી લેતા તેઓની પાસેથી 3 મોબાઇલ ફોન, પાવડરની પડીકી, રોકડ રકમ, ડ્રાયવીંગ લાયસન્સ તથા આધાર કાર્ડ મળી આવ્યા હતા. ઉપરાંત બન્ને ઈસમો પાસેથી પોલીસે કુલ રૂ. ૨૯,૮૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ પૂછપરછમાં આરોપી નાઝીમ શેખે જણાવ્યુ હતું કે, તેણે ઇરફાન શેખ સાથે મળીને માર્કેટીંગ યાર્ડમાં ટ્રક ડ્રાઇવર સહીત કુલ 5 લોકોને ચ્હામાં પાવડર ભેળવીને પીવડાવી હતી. જે બાદ બેભાન થઈ જતાં તેઓ પાસેથી મોબાઇલ અને રોકડ રકમ લઈ નાસી છૂટ્યા હતા. જે અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચે માર્કેટીંગ યાર્ડ ખાતેનો આ ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.