ભાવનગર:તળાજા માંથી અફીણ અને પોષડોડાનાં જથ્થા સાથે પોલીસે પિતા પુત્રની કરી ધરપકડ

પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.પોલીસની રેડમાં ઘરમાં છુપાવી રખાયેલો અફીણ અને પોષડોડાનો જથ્થો મળીને કુલ રૂપિયા 13 લાખ 29 હજાર 300 નો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update

તળાજામાં નશાના કારોબારનો પર્દાફાશ 

Advertisment

ઘરમાં છુપાવીને રાખ્યો હતો નશીલો પદાર્થ 

અફીણ અને પોષડોડાનો જથ્થો ઝડપાયો  

પોલીસે પિતા પુત્રની કરી ધરપકડ

13.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ  

ભાવનગર જિલ્લાના તળાજા શહેરના ખોજાવાડ વિસ્તારમાં પોલીસે અફીણ અને પોષડોડાના જથ્થા સાથે પિતાપુત્રની ધરપકડ કરી હતી.અને રૂપિયા 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ખોજાવાડ વિસ્તારમાં પાંચેક વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીય પરિવારના રહેણાંક સ્થળે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.પોલીસની રેડમાં ઘરમાં છુપાવી રખાયેલો અફીણ અને પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો.

આ ઘટનામાં પોલીસે  પિતા-પુત્રની ધરપકડ કરી લીધી હતી.પોલીસે અફીણ અને પોષડોડાનો જથ્થો મળીને કુલ રૂપિયા 13 લાખ 29 હજાર 300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.નશીલા પદાર્થના કારોબારના પર્દાફાશ કરીને પોલીસે આરોપી આમીનખાન સરદારખાન પઠાણ,તેનો પુત્ર ચંદનખાન આમીનખાન પઠાણ રહે મૂળ રાજસ્થાનનાઓની ધરપકડ કરી હતી

Advertisment

જયારે અન્ય મધ્યપ્રદેશના બે આરોપી બળવંતસિંહ તથા જગદીશચંદ્રલાલ રામલાલનાઓ ને પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.આરોપીઓ વિરુદ્ધ પોલીસે NDPS એક્ટની કલમ હેઠળ ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. 

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment