બોટાદ : એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને રામ નામનો ફુલનો હાર-મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરાયો...

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી તેમજ શનીવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાને રામ નામનો આંકડાના ફુલનો હાર તેમજ મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

New Update
  • કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે એકાદશી નિમિત્તે ઉજવણી

  • કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરાયો

  • શ્રી કષ્ટભંજનદેવને રામ નામનો આંકડાના ફુલનો હાર પહેરવાયો

  • દાદાને મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરાયો

  • ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરીને ભાવિકો ધન્ય થયા

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી તેમજ શનીવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દાદાને રામ નામનો આંકડાના ફુલનો હાર તેમજ મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી તેમજ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને રામ નામનો આંકડાના ફુલનો હાર પહેરાવવામાં આવ્યો છે. આ સાથે જ શ્રી કષ્ટભંજન દેવની પ્રતિમાને મખમલની જરીવાળા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છેત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી. જોકેપવિત્ર એકાદશી નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. આ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Latest Stories