બોટાદ: સાળંગપુરમાં રીક્ષા ચાલકોની હડતાળ,પોલીસની હેરાનગતિના આક્ષેપ

સાળગપુર ગામે રીક્ષા ચાલકોને બોટાદ પીએસઆઈએ બિભત્સ શબ્દો બોલી દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.રીક્ષા ચાલકોએ પી.એસ.આઈ.ની બદલીની માંગ કરી છે.

New Update

બોટાદના સાળંગપુરમાં રીક્ષાચાલકોની હડતાળ

Advertisment

રીક્ષાચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું

પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ

પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીની માંગ

હડતાળના પગલે મુસાફરોને હાલાકી

બોટાદના સારંગપુરમાં પોલીસની  દાદાગીરીના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોએ હડતાલનું શાસ્ત્ર ઉગામ્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો. બોટાદ પોલીસની દાદાગીરી સામે રીક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ હતું.
Advertisment
સાળગપુર ગામે રીક્ષા ચાલકોને બોટાદ પીએસઆઈએ બિભત્સ શબ્દો બોલી દાદાગીરી કરી હોવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.રીક્ષા ચાલકોએ પી.એસ.આઈ.ની બદલીની માંગ કરી છે.રીક્ષાચાલકો હડતાળ પર ઉતરી જતા મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.પોલીસ સબ ઇન્સ્પેકટર દ્વારા રીક્ષા ચાલકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે..
Advertisment
Read the Next Article

બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહ-હૈદરાબાદમાં ગુજરાતની કરુણા એમ્બ્યુલન્સ સેવાની નોંધ લેવાય...

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે

New Update
  • પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ બની સેવા આશાનું કિરણ

  • પોતાના પશુઓના ઈલાજ માટે પશુપાલકોને મોટી રાહત મળી

  • 1962 પર ફોન કરી એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છે પશુપાલકો

  • અનેક પશુપાલકોએ રાજ્ય સરકારની ઉત્તમ સેવાનો લાભ લીધો 

Advertisment

 ગુજરાતના પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બની રહી છે. હવે પશુપાલકો પોતાના પશુઓના ઈલાજ માટે 1962 પર માત્ર ફોન કરીને એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છેત્યારે અનેક પશુપાલકો પણ રાજ્ય સરકારની આ ઉત્તમ સેવાનો વિશેષ લાભ લઈ રહ્યા છે.

ઓક્ટોબર-2017ના રોજ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે. આજદિન સુધી હજારો પશુપાલકો આ સેવાનો લાભ લઈ ચુક્યા છે.

નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના પશુપાલક ગુલાબ મગનના વાછરડાને નાભિમાં ઘા હતો. તેને ચાલવામાં તકલીફ પડતી હતી. તેથી તેને હોસ્પિટલે લઈ જવાનું કામ કપરું હતું. આ સંજોગોમાં તેમના માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા ઉપયોગી બની. તેઓએ 1962 પર ફોન કરતાં જ માત્ર 15થી 20 મિનિટમાં એમ્બ્યુલન્સ તેઓના ઘર આંગણે આવી હતીજ્યાં નિષ્ણાંત પશુચિકિત્સકે વાછરડાની સમયસર સારવાર કરી હતી.

જોકેઆ મોબાઇલ એમ્બ્યુલન્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં પશુઓના ઓપરેશનથી માંડીને ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે. દરેક એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ઓફિસર અને ડ્રેસર હાજર રહે છે. સમગ્ર ગુજરાતમાં હાલ 623 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાંથી 586 એમ્બ્યુલન્સ ગ્રામીણ વિસ્તારોમાં અને 37 એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં પશુઓની સારવાર સેવામાં રહે છે.

હૈદરાબાદમાં યોજાયેલા બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહમાં ગુજરાતની આ સેવાની નોંધ લેવામાં આવી હતી. નવસારી જિલ્લાની મોબાઇલ એનિમલ ટીમને બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. આમઆજે શ્વેતક્રાંતિ માટે જાણીતા ગુજરાતની આ સેવા રાષ્ટ્રીય સ્તરે પ્રશંસાપાત્ર બની છે.

Advertisment