મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે, નવા સંસદ ભવનનું લોકાર્પણ-નીતિ આયોગની બેઠકમાં રહેશે ઉપસ્થિત
CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલથી 2 દિવસ દિલ્હીમાં નવા સંસદ ભવનના લોકાર્પણ અને નીતિ આયોગની બેઠકમાં ઉપસ્થિતી માટે પહોચી રહ્યા છે
BY Connect Gujarat Desk26 May 2023 12:19 PM GMT

X
Connect Gujarat Desk26 May 2023 12:19 PM GMT
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલથી 2 દિવસ દિલ્હીમાં નવા સંસદ ભવનના લોકાર્પણ અને નીતિ આયોગની બેઠકમાં ઉપસ્થિતી માટે પહોચી રહ્યા છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા. ૨૭ અને ૨૮ મેના રોજ દિલ્હીમાં નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તેમજ નવા સંસદ ભવનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે. જે બાદ મુખ્યમંત્રી તા. ૨૯ મે સોમવારના રોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આવનાર મુલાકાતીઓને રાબેતા મુજબ મળશે.
Next Story