અરવલ્લી: મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા બનાવાય છે શ્રીજીની માટીની પ્રતિમા

અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે

New Update

અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે

Advertisment
હિંદુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે.. ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે,, પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી શકતી, તેથી માટી માંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટીકામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવે છે.આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. બન્નેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવે છે. મૂર્તિ સુકાઈ ગયા બાદ તેના પર કલરકામ કરવામાં આવે છે.આ કલરની ખાસિયત એ હોય છે આ કલર પાણીમાં ઓગળી જાય છે. 
Advertisment
Read the Next Article

ભરૂચ: જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો, 33 અરજીઓનો કરાયો નિકાલ

નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.

New Update
1

જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના  અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના ૩૩ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળી જિલ્લા, સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવી અરજદારોને સંતોષકારક જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Advertisment