અરવલ્લી: મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા બનાવાય છે શ્રીજીની માટીની પ્રતિમા

અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે

New Update

અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે

હિંદુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે.. ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે,, પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી શકતી, તેથી માટી માંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટીકામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવે છે.આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. બન્નેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવે છે. મૂર્તિ સુકાઈ ગયા બાદ તેના પર કલરકામ કરવામાં આવે છે.આ કલરની ખાસિયત એ હોય છે આ કલર પાણીમાં ઓગળી જાય છે. 
Read the Next Article

હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની કરી આગાહી, કેટલા જિલ્લામામાં યલો એલર્ટ કર્યું જાહેર

રાજ્યમાં હાલ કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. હાલ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને

New Update
varsad

રાજ્યમાં હાલ કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. હાલ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને ઉકળાટની સ્થિતિ સર્જાઇ છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા કેટલાક વિસ્તારમાં ઓરેંજ તો કેટલા જિલ્લામામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. જેને લઇને ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને સાત દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

ત્રણ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ

  • સાબરકાંઠા
  • અરવલ્લી
  • મહીસાગર

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરી છે.આજે સૌરાષ્ટ્રના અમરેલી,પોરબંદર સહિતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઇને યલો એલર્ટ જાહેર કરે છે.