તરણેતરના મેળાનું કાઉન્ટ ડાઉન શરૂ, આવતી કાલથી વિશ્વ પ્રસિદ્ધ ભાતિગણ મેળાનું થશે પ્રારંભ
આવતીકાલથી પાંચાળ પ્રદેશની લોકસંસ્કૃતિને ઉજાગર કરતો તરણેતરનો ભાતીગળ લોકમેળો શરૂ થશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે યોજાતા આ લોકમેળો ખૂલ્લો મુકાશે. ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી મેળો ખુલ્લો મુકશે. સવારે ૧૧-૦૦ કલાકે ગ્રામિણ રમતોત્સવ અને વિવિધ સ્ટોલનું ઉદ્દઘાટન હસ્તે કરવામાં આવશે.ભાદરવા સુદ ચોથના દિવસે પાળીયાદના પુ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી પરમ પુજય નિર્મળાબા ઉનડ બાપુ દ્વારા સંતો-મહંતોની ઉપસ્થિત ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે.
ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે ૫-૦૦ કલાકે ગંગા અવતરણ આરતી કરવામાં આવશે ત્યારબાદ સવારે ૮-૦૦ કલાક થી ૧૧-૦૦ કલાક દરમિયાન વિવિધ મેદાની રમતો જેવી કે રસ્સાખેંચ અને કુસ્તી વગેરે યોજાશે. સવારે ૯-૦૦ કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાનો કાર્યક્રમ યોજાશે..મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓ પણ તરણેતર મેળામાં ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત વાહનવ્યવહાર મંત્રીશ્રી મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે. મેળામાં ગગ્રામીણ ઓલમ્પિકની વિવિધ રમતો, પશુ હરીફાઈ, રાસ ગરબા હરીફાઈ પણ યોજાશે હાલ આ મેળામાં 400 થી વધુ પ્લોટ વેચાણ થઈ ગયું છે મેળાની અંદર મોટી સંખ્યામાં લોકો આ જગ્યાએ આવે છે સાથે મંદિરના પટાંગણમાં આવેલ કુંડની અંદર લોકો મોટી સંખ્યામાં પાંચમ ના દિવસે સ્નાન કરવા આવે છે.