Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે 19 નવા કેસ નોંધાયા, 17 દર્દીએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે

Covid-19 : રાજ્યમાં આજે 19 નવા કેસ નોંધાયા, 17 દર્દીએ કોરોનાને આપી મ્હાત
X

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 5,51,121 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,71,32,599 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

હાલમાં અત્યાર સુધી 209 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 204 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે. દરમિયાન 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

આજે રાજકોટ કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1, ભાવનગર 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.

Next Story