Connect Gujarat
ગુજરાત

Covid -19 : રાજ્યમાં આજે કોરોનાના 305 નવા કેસ નોધાયા, 5 દર્દીઓના થયા મોત

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 305 કેસ નોંધાયા

Covid -19 : રાજ્યમાં આજે કોરોનાના 305 નવા કેસ નોધાયા, 5 દર્દીઓના થયા મોત
X

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 305 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 3386 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 33 લોકો વેન્ટીલેટર પર છે. 3353 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,07,284 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,911 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 5 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 120, વડોદરા કોર્પોરેશનમાં 40, વડોદરા 29, બનાસકાંઠા 17, પાટણમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, સુરતમાં 9, સુરત કોર્પોરેશનમાં 8, ગાંધીનગરમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 8, ગાંધીનગરમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 7, ડાંગમાં 6, આણંદમાં 5, ભરૂચમાં 5, કચ્છમાં 4, અમદાવાદમાં 3, અમરેલીમાં 3, દાહોદમાં 3, મોરબીમાં 3, ગીર સોમનાથમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 2, પંચમહાલમાં 2, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં કોરોનાના નવા એક-એક કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે 839 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.83 ટકાએ પહોંચ્યો છે. આજે 1,38,874 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. વડોદરા કોર્પોરેશન 2, ભરૂચમાં એક, સાબરકાંઠામાં એક, ભાવનગરમાં એક કોરોના દર્દીઓનું મોત થયું હતું.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 16 ને પ્રથમ અને 57 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે

Next Story