Connect Gujarat
ગુજરાત

દાહોદ : દામાવાવ નજીક એસટી બસ અને ખાનગી બસ સહિત અન્ય વાહન વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાથી ઘોઘંબા રોડ પર લકઝરી બસ અને એસટી બસ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

દાહોદ : દામાવાવ નજીક એસટી બસ અને ખાનગી બસ સહિત અન્ય વાહન વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત
X

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાથી ઘોઘંબા રોડ પર લકઝરી બસ અને એસટી બસ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દામાંવાવ ચોકડીથી અડધો કિલોમીટર આગળ દેવલીકુવા જંગલ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં લકઝરી બસ દાહોદથી સુરત જઈ રહી હતી અને એસટી બસ સુરતથી બારીયા જતી બસને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતમાં બન્ને બસના દ્રાઈવરો ફસાઈ ગયા હતા અને સ્થાનિક લોકો તેમજ દામાવાવ પોલીસ સ્ટેશનના PSI એમ આર ભલગરિયા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસના સઘન પ્રયત્નો તેમજ જેસેબી વાહનથી બે વાહનોને અલગ કર્યા હતા લગભગ 2 કલાક બાદ ભારે જહેમત બાદ દ્રાઈવરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને દ્રાઈવરો સહિત બસમાં બેઠેલા 25 જેટલા પેસેન્જરોને ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 મારફતે ગોધરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દામાવાવ અને ઘોઘંબા તરફથી જતા વાહન ચાલકો અટવાયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેમાં પોલીસના સઘન પ્રયત્નોથી ટ્રાફિક જામને થાળે પાડ્યું હતું.

Next Story