Connect Gujarat
ગુજરાત

ડાંગ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 311 ગામોના મકાનો પર લહેરાશે તિરંગો…

દેશ આખો આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના રંગે રંગાયો છે. જન જનમાં આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણીનો થનગણાટ વ્યાપી ચુક્યો

ડાંગ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 311 ગામોના મકાનો પર લહેરાશે તિરંગો…
X

દેશ આખો આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના રંગે રંગાયો છે. જન જનમાં આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણીનો થનગણાટ વ્યાપી ચુક્યો છે, અને તેમાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને વ્યાપક લોક આવકાર સાંપડી રહ્યો છે, ત્યારે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામોના પ્રત્યેક ઘર ઉપર પણ તિરંગો લહેરાઈ તેવુ આયોજન જિલ્લા વહીવટી તંત્રે હાથ ધર્યું છે.

ડાંગ જિલ્લામા છેલ્લા બે બે દાયકાથી શિક્ષણ સાથે સંસ્કારબીજનુ વાવેતર કરી રહેલા પ્રયોશા પ્રતિસ્ઠાનના સહયોગથી જિલ્લામા આગામી તા. ૯થી ૧૧ ઓગસ્ટ દરમિયાન જિલ્લાની તમામે તમામ ૭૦ ગ્રામ પંચાયતોમા સમાવિષ્ઠ ૩૧૧ ગામોના પરિવારજનો તેમના ઘર ઉપર તિરંગો લહેરાવી શકે તે માટે તેમને ૫૦ હજારથી વધુ રાષ્ટ્રધ્વજનું વિનામુલ્યે વિતરણ કરવાનુ આયોજન ઘડી કાઢવામા આવ્યુ છે. પ્રયોશા પ્રતિસ્ઠાનના સ્થાપક-સંચાલક પી.પી.સ્વામીએ એક મુલાકાતમાં જણાવ્યા અનુસાર તા. ૯થી ૧૧ ઓગસ્ટ દરમિયાન જિલ્લામા બે જેટલા શણગારેલા રથના માધ્યમથી, દેશભક્તિના ગીતસંગીતની સુરાવલીઓ વચ્ચે, તમામે તમામ સિત્તેર ગ્રામ પંચાયતો સુધી રાષ્ટ્રધ્વજ પહોંચાડવામા આવશે. શિસ્તબદ્ધ સ્વયંસેવકો ભારતની આન, બાન, અને શાન સાથે રાષ્ટ્રધ્વજની આચાર સંહિતાનુ માહાત્મ્ય સમજાવી, ભારતમાતા રાષ્ટ્રમાતાના પૂજન સાથે ધ્વજનુ વિતરણ કરશે. આ વેળા સમાજ શ્રેષ્ઠીઓ વિશેષ હાજરી આપશે. ડાંગ જિલ્લાના તમામ ગામોમા નાત, જાત, અને ધર્મના ભેદભાવ વિના પૂર્ણ રાષ્ટ્રભાવના સાથે ઘરે ઘરે પ્રત્યેક પરિવાર તેમના ઘર ઉપર તિરંગો લહેરાવશે. સંભવત; ડાંગ જિલ્લાના પ્રત્યેક ઘરો ઉપર લહેરાતો તિરંગો સો ટકા ઘરો ઉપર લહેરાઈને, દેશભરમા પ્રથમ સ્થાન હાંસલ કરે તેવા અનોખા માહોલનું સર્જન થઇ રહ્યુ છે.

Next Story