જુનાગઢ : ગિરનાર પર 11 કેવીની વીજ લાઈન હોવા છતાં અંધકાર, વીજ પુરવઠા માટે લોકાર્પણની રાહ જોવાઈ રહી છે

જૂનાગઢના ગિરનાર ડુંગર પર વીજ લાઈન નાખ્યા બાદ પણ અંધકાર છવાયો છે,કારણ કે તંત્ર દ્વારા વીજ લાઈનનું લોકાર્પણ કરવામાં ન આવતા હજી વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી.

New Update

ગિરનાર ડુંગર પર માઁ અંબાના મંદિરમાં અંધકાર

વીજ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ 

લોકાર્પણ માટે જોવાઈ રહી છે રાહ 

નવરાત્રી પહેલા વીજ પુરવઠો શરૂ કરવા માંગ 

સાધુ સંતોએ સરકાર સમક્ષ કરી વીજ પુરવઠો શરૂ કરવાની માંગ   

જૂનાગઢના ગિરનાર ડુંગર પર વીજ લાઈન નાખ્યા બાદ પણ અંધકાર છવાયો છે,કારણ કે તંત્ર દ્વારા વીજ લાઈનનું લોકાર્પણ કરવામાં ન આવતા હજી વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી.
જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર વીજ પુરવઠાને અભાવે માઁ અંબાજીના મંદિરમાં અંધાકર છવાયેલો રહે છે, વીજ પુરવઠા માટે વહીવટી તંત્રમાં રજૂઆત બાદ વીજ લાઈન  નાખવામાં આવી છે,અને ગિરનારના સાધુ સંતોને હવે વીજ પુરવઠો શરૂ થશે તેવી આશા બંધાઈ હતી,પરંતુ વીજ લાઈન નંખાઈ ગયા બાદ પણ વીજ પુરવઠો શરૂ ન થતા સાધુ સંતોમાં નિરાશા જોવા મળી રહી છે,ત્યારે ગિરનાર માઁ અંબાજી મંદિરના મહંત તનસુખગિરિએ સરકારને વીજ લાઈનનું લોકાર્પણ કરવા માટે વિનંતી કરી છે,અને નવરાત્રી પહેલા વીજ પુરવઠો શરૂ કરવામાં આવે અને મંદિરમાં અંધારું દૂર થાય તેમજ ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ થઇ શકે તેવી માંગ કરવામાં આવી છે.     
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.