સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવને એકાદશી નિમિત્તે દિવ્ય શણગાર

બોટાદ તાલુકાના સાળંગપુર ખાતેના ભક્તોના કષ્ટને હર્તા શ્રી કષ્ટભંજન દેવને એકાદશીના પાવન અવસરે પવિત્રતાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો

New Update

બોટાદ તાલુકાના સાળંગપુર ખાતેના ભક્તોના કષ્ટને હર્તા શ્રી કષ્ટભંજન દેવને એકાદશીના પાવન અવસરે પવિત્રતાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જે સુંદર શણગારના દર્શન થકી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

બોટાદ તાલુકાના સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીને આજે એકાદશી નિમિત્તે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.જેમાં પવિત્રાનો શણગાર શ્રાવણ માસમાં દાદાને કરાય છે. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્રા એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર કરાયો હતો.જેના દર્શનનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.