સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવને એકાદશી નિમિત્તે દિવ્ય શણગાર

બોટાદ તાલુકાના સાળંગપુર ખાતેના ભક્તોના કષ્ટને હર્તા શ્રી કષ્ટભંજન દેવને એકાદશીના પાવન અવસરે પવિત્રતાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો

New Update

બોટાદ તાલુકાના સાળંગપુર ખાતેના ભક્તોના કષ્ટને હર્તા શ્રી કષ્ટભંજન દેવને એકાદશીના પાવન અવસરે પવિત્રતાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જે સુંદર શણગારના દર્શન થકી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

બોટાદ તાલુકાના સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીને આજે એકાદશી નિમિત્તે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.જેમાં પવિત્રાનો શણગાર શ્રાવણ માસમાં દાદાને કરાય છે. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્રા એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર કરાયો હતો.જેના દર્શનનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.
Read the Next Article

અંકલેશ્વર: કોસમડીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવ પાર્થિવ પૂજનનું આયોજન

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો

New Update
  • અંકલેશ્વરના કોસમડીમાં યોજાયો કાર્યક્રમ

  • સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો

  • શિવ પાર્થિવ પૂજનનું કરાયુ આયોજન

  • શ્રાવણ માસમાં કરવામાં આવે છે પૂજા

  • ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
છેલ્લા 7 વર્ષથી અંકલેશ્વરના કોસમડી ગામના  સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજાનનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ આચાર્ય શિવરામ પાંડેયની અધ્યક્ષતામાં શિવ પાર્થિવ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં 61 જોડા જોડાયા હતા અને શાસ્ત્રોત વિધિ અનુસાર પૂજન કરાવવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.આ કાર્યક્રમમાં અશોક મહતો,સોનું મૌર્યા અને વિશ્વજીત પાલ સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.