સુવિધા સામે દુવિધા..! : બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ વિસ્તારના લોકોમાં નારાજગી...

બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અને તાલુકા ધરાવતો જિલ્લો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માંગણી ઉઠી રહી હતી, 

New Update
  • ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું કરાયું વિભાજન

  • વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ વિસ્તારના લોકોમાં નારાજગી

  • ધાનેરા વિસ્તારના યુવાઓ પહોચ્યા પાલનપુર કલેક્ટર કચેરી

  • રેલી સ્વરૂપે પહોચી કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાય

  • ધાનેરા તાલુકાનો બનાસમાં જ સમાવેશ રાખવા અંગે માંગ કરી

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છેત્યારે ધાનેરા વિસ્તારના યુવાઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોચી આવેદન પત્ર આપી ધાનેરા તાલુકાનો બનાસમાં જ સમાવેશ રાખવા માટેની માંગ કરી હતી.

બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અને તાલુકા ધરાવતો જિલ્લો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માંગણી ઉઠી રહી હતીત્યારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં વાવ-થરાદને અલગ જિલ્લો જાહેર કરી સરહદી વિસ્તારના તાલુકાઓ તેમજ ધાનેરા-કાંકરેજ તાલુકાનો થરાદ-વાવમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે ધાનેરા વિસ્તારના લોકો છેલ્લા 2 દિવસથી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છેત્યારે મોટી સંખ્યામાં યુવાઓ પાલનપુર કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતાઅને સૂત્રોચાર કરીને પોતાને બનાસકાંઠામાં જ સામેલ રાખવા માટેની ઉગ્ર માંગ કરી હતી.

ધાનેરા વિસ્તારના લોકોનું કહેવું છે કેધાનેરાના લોકોએ ક્યારેય થરાદ જોયું નથી. ધાનેરા વિસ્તારના લોકો વ્યવસાય અને સમાજથી પાલનપુર સાથે જોડાયેલા છેત્યારે ધાનેરા તાલુકાને પાલનપુર એટલે કેબનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ ધાનેરાના લોકો કરી રહ્યા છે. ધાનેરાના છેવાડે આવેલા વાછોલબાપલા સહિતના ગામો થરાદથી 100 કિલોમીટર જેટલા દૂર છેત્યાં સુધી વાહનો મળવા પણ મુશ્કેલ બને છેત્યારે ધાનેરાને થરાદમાં સામેલ કરવામાં આવે તો સુવિધાઓ ઓછી અને દુવિધાઓ વધુ થઈ શકે છે.

તો બીજી તરફરાજ્ય સરકાર પોતાના નિર્ણય ઉપર ફેર વિચારણા કરીને ધાનેરા તાલુકાને બનાસમાં જ સામેલ રાખે તેવી માંગ સાથે ધાનેરા વિસ્તારના યુવાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે ધાનેરાના સ્થાનીકોએ આવેદન પત્ર આપી ધાનેરા તાલુકાનો બનાસમાં જ સમાવેશ રાખવામાં આવે તેવી માંગ કરી હતી. જો આગામી દિવસોમાં સરકાર આ અંગે નિર્ણય નહીં લેતો ગાંધીચીધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ધાનેરાના યુવાઓએ ચીમકી ઉચ્ચારી છે.

Read the Next Article

ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના 235 નવા કેસ નોંધાયા છે.  આ સાથે જ રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચી ગયો છે.  

એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરના  235 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાં  33 હોસ્પિટલમાં દાખલ છે.  જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  

કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય

છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોનાના 769 નવા કેસ (Covid 19 Cases Updates) નોંધાયા છે. આ સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા છ હજારને વટાવી ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે આંકડા જાહેર કર્યા હતા. મંત્રાલય અનુસાર, કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ત્યારબાદ ગુજરાત, બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓનો હિસ્સો લેવા માટે કેન્દ્ર 'મોક ડ્રીલ' કરી રહ્યું છે. તમામ રાજ્યોને ઓક્સિજન, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.