હાલ ચાલી રહેલા દિવાળીના તહેવારો દરમિયાન વડોદરા સિવિલ હોસ્પિટલ સહિત શહેરની અન્ય હોસ્પિટલોમાં લોકો માટે તબીબી સેવા કાર્યરત રાખવામાં આવનાર છે.
દિવાળીના તહેવારોની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે વડોદરામાં કેટલાક તબીબો રજા ઉપર ઉતારશે તો સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સેવાઓ કાર્યરત રહેશે, અને અન્ય હોસ્પિટલ પૈકી પણ કેટલીક હોસ્પિટલ કાર્યરત રહેશે. વડોદરામાં દિવાળીના તહેવારોમાં સિવિલ હોસ્પિટલની સાથે અન્ય હોસ્પિટલો પણ ચાલુ રહેશે.
આ અંગે સયાજી હોસ્પિટલના RMO ડોક્ટર એચ.એસ.ચૌહાણે જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન અનેક ઇમર્જન્સી કેસ આવતા હોય છે. દિવાળીમાં આગ લાગવાના બનાવો સાથે અકસ્માતના કેસોમાં પણ વધારો જોવા મળે છે. ફટાકડા ફોડતી વખતે દાઝી જવાના પણ બનાવો બને છે, ત્યારે આ બધા માટે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ બની છે.
દિવાળીના તહેવારોમાં 24 કલાક સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવા કાર્યરત રાખવામા આવનાર છે. જેમાં તમામ પ્રકારના કેસોની સારવાર થઈ શકે તે પ્રકારે પૂરતો સ્ટાફ ઉપસ્થિત રહેશે. જેથી લોકોને કોઈપણ પ્રકારની સારવારની જરૂર જણાય તો તેઓને સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.