કચ્છ : અનરાધાર વરસાદ વરસતા કચ્છીઓમાં ખુશી, ઠેર ઠેર ભરાયા પાણી

અનરાધાર વરસાદ વરસતા કચ્છીઓમાં છવાય ખુશીની લહેર, અંજારના માર્ગ પર પાણી ભરાતા વિદ્યાર્થી-શિક્ષકોને હાલાકી.

New Update
કચ્છ : અનરાધાર વરસાદ વરસતા કચ્છીઓમાં ખુશી, ઠેર ઠેર ભરાયા પાણી

કચ્છ જીલ્લામાં મેઘરાજાએ ભારે રમઝટ જમાવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે અંજારના મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો શાળાએ પહોચી શક્યા ન હતા. જોકે, એક જ દિવસમાં અનરાધાર વરસાદ વરસતા કચ્છીઓમાં ખુશીની લહેર છવાય ગઈ છે.

બંગાળની ખાડીમાં ફરી સર્જાયેલા લો-પ્રેશરના કારણે ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ જીલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, ત્યારે તેની અસરના ભાગરૂપે કચ્છમાં પણ વરસાદી માહોલ છવાયો છે. અંજારમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ભુજ, માંડવી અને ભચાઉમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. મુન્દ્રા અને ગાંધીધામમાં પણ સાડા ત્રણ ઇંચ, તો અબડાસામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. આઉપરાંત નખત્રાણા, લખપત અને રાપરમાં પણ વરસાદી ઝાપટા આવ્યા હતા.

અંજારમાં ભારે વરસાદના કારણે મોટી સમસ્યા સર્જાય હતી. શાળાએ જવાના માર્ગ પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાએ પહોંચી શક્યા ન હતા. તો સાથે જ એક ટ્રક અને શાળાએ જતો છકડો પણ કીચડમાં ફસાયો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો એપી.એમ.સી.માં પણ પાણી ભરાતા વેપારીઓને પણ ભારે હાલાકી પડી હતી. જોકે, એક જ દિવસમાં અનરાધાર વરસાદ વરસતા કચ્છીઓમાં ખુશીની લહેર છવાય ગઈ છે.

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.