ગીર સોમનાથ : ઇકોઝોન સહિતના મુદ્દે ચિંતન શિબીરમાં રજૂઆત કરવા જતાં પૂર્વે AAP નેતા પ્રવીણ રામ સહિત ખેડૂતોની અટકાયત

આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમજ ખેડૂતો તાલાલા ખાતે એકઠા થયા હતા. જોકે, તેઓની રજૂઆત પૂર્વે જ પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી

New Update
  • ગુજરાતની વિકાસયાત્રાને શિખર પર પહોંચાડવા ચિંતન-મંથન

  • રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનું આયોજન

  • શિબિર દરમ્યાન ઇકો ઝોન-વિવિધ મુદ્દેAAPની હતી રજૂઆત

  • AAP નેતા પ્રવીણ રામ અને ખેડૂતો તાલાલા ખાતે એકઠા થયા

  • રજૂઆત પૂર્વે પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરાય

ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર દરમ્યાન ઇકોઝોન સહિતના વિવિધ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવા માટે આપના નેતા પ્રવીણ રામ તેમજ ખેડૂતો તાલાલા ખાતે એકઠા થયા હતા. જોકેતેઓની રજૂઆત પૂર્વે જ પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહી છેત્યારે આ ચિંતન શિબિરમાં પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવી આપ નેતા પ્રવીણ રામે ઇકોઝોનઅતિવૃષ્ટિમાં ખેડૂતોને સહાય તેમજ ટોલ ટેક્સના નામે પ્રજા સાથે કરવામાં આવતી લૂંટ મુદ્દે ચિંતન કરવા સમય માંગ્યો હતો.

પ્રવીણ રામે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જો મુખ્યમંત્રી સમય ન ફાળવે તો ખેડૂતો સાથે ચિંતન શિબિરમાં ઘુસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતીત્યારે ચિંતન શિબિરમાં ઈકોઝોન સહિતના મુદ્દે ચિંતન માટે આહવાન કરનાર આપના નેતા પ્રવીણ રામ સહિત અસંખ્ય ખેડૂતો રજૂઆત કરવા માટે પહોચતા તાલાલા ખાતે પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી.

આ મામલે પ્રવિણ રામે જણાવ્યુ હતું કેડરી ગયેલી સરકારે ભાજપના ઈશારે પોલીસને આગળ ધરી અમોને ન્યાયિક રજૂઆત કરતા અટકાવ્યા છે. ઉપરાંત આ ચિંતન શિબિર નહીંજલસા શિબિર હતી. મુદ્દાઓનું ચિંતન કરવાના બદલે ઘોડા અને હાથીની સવારી તેમજ મોર્નિંગ વોક જોવા મળી હોવાનો આપ નેતા પ્રવીણ રામે આક્ષેપ કર્યો હતો.

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.