બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ-સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા...

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા,

New Update
બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ-સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા...

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી હાજર તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

74મો પ્રજાસત્તાક પર્વ ગુજરાત રાજ્ય કક્ષાના બોટાદ ખાતે શહેરના ત્રિકોણની ખોડિયાર હળદડ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા, ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતેની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ સાથે જ ગુજરાત પોલીસની અલગ અલગ કેડરના પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. ઉપરાંત ચેતક કમાન્ડો સાથે અશ્વ તેમજ ડોગ દ્વારા અદ્ભુત સ્ટંટ કરવામાં આવ્યા હતા. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરી દેશભક્તિની થીમ પર અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ દેશની આઝાદી સમયના સ્વતંત્ર સેનાનીઓને પણ યાદ કરવામાં આવ્યા હતા. બોટાદ ખાતે રાજ્યકક્ષાના આ પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.