બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ-સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા...

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા,

New Update
બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ-સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા...

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી હાજર તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

Advertisment
1 / 17

74મો પ્રજાસત્તાક પર્વ ગુજરાત રાજ્ય કક્ષાના બોટાદ ખાતે શહેરના ત્રિકોણની ખોડિયાર હળદડ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા, ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 74માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતેની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ સાથે જ ગુજરાત પોલીસની અલગ અલગ કેડરના પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. ઉપરાંત ચેતક કમાન્ડો સાથે અશ્વ તેમજ ડોગ દ્વારા અદ્ભુત સ્ટંટ કરવામાં આવ્યા હતા. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરી દેશભક્તિની થીમ પર અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ દેશની આઝાદી સમયના સ્વતંત્ર સેનાનીઓને પણ યાદ કરવામાં આવ્યા હતા. બોટાદ ખાતે રાજ્યકક્ષાના આ પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં