રાજ્યમાં ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી:2 પર ભાજપનો કબ્જો તો 1માં કોંગ્રેસની સત્તા

રાજયમાં ત્રણ નગર પાલિકાની ચૂંટણી યોજાઇ હતી જેમાં 2 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો તો એક નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી હતી

New Update
રાજ્યમાં ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી:2 પર ભાજપનો કબ્જો તો 1માં કોંગ્રેસની સત્તા

રાજયમાં ત્રણ નગર પાલિકાની ચૂંટણી યોજાઇ હતી જેમાં 2 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો તો એક નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી હતી

રાજયમાં વિવિધ ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી સાથે 3 નગર પાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાઇ હતી જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ ,ઓખા અને બનાસકાંઠાની થરા નગરપાલિકાની ચૂંટણીમાં રવિવારે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી અને આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાય હતી. સૌ પ્રથમ વાત કરીયે ભાણવડ નગર પાલિકાની તો ભાણવડ નગરપાલિકામાં બીજેપી પાસેથી કોંગ્રેસે સત્તા છીનવી છે.

ભાણવડ નગર પાલિકા ગત ચૂંટણી માં ભાજપ ના 16 અને કોંગ્રેસ ના 8 ઉમેદવારની જીત મળી હતી જેમાં આ વખતે ઉલટ ફેર થઈ છે. ભાણવડવર્ષ 1995થી ભાજપ શાસિત પાલિકા હતી તે આજના પરિણામ બાદ કોંગ્રેસે 16 અને બીજેપી ને 8 સીટ મળતા કોંગ્રેસને સત્તા મળી છે ત્યારે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના નેતાઓએ જીતની ખુશી વ્યક્ત કરી હતી

હવે વાત ઓખા અને થરા નગરપાલિકાની તો આ બન્ને ન.પામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ઓખા નગરપાલિકાની કુલ 36 બેઠકો પર ચૂંટણી યોજાય હતી જે પૈકી 34 બેઠકો પર ભાજપ તો 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા ભાજપે સત્તા જાળવી રાખી છે. આ તરફ બનાસકાંઠાની થરા નગર પાલિકાની 24 બેઠકો પર ચૂંટણી યોજાય હતી જે પૈકી 20 બેઠકો પર ભાજપ તો 4 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. બન્ને નગર પાલિકામાં ભાજપનો વિજય થતા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો

Read the Next Article

નવસારી : નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો,કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે મહત્વપૂર્ણ આપ્યો સંદેશ

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • નવસારીમાં યોજાયો સરપંચ સમારોહ

  • કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત

  • કેન્દ્રીય મંત્રીએ આપ્યો મહત્વપૂર્ણ સંદેશ

  • સરપંચોને ગામના વિકાસમાં ધ્યાન આપવા જણાવ્યું

  • કોન્ટ્રાકટર નહીં પરંતુ સરપંચ બનીને કામ કરવા કરી ટકોર

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સરપંચોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે સરપંચોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર ગામના વિકાસ માટે જ કરે.

સાંસદે ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત રાજ્ય અને નવસારી જિલ્લામાં કેટલાક સરપંચો જાતે જ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લઈને કોન્ટ્રાક્ટર બની જતા હોવાની ફરિયાદો મળી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્રામજનોએ સરપંચોને ગામનો વિકાસ કરવા માટે ચૂંટ્યા છેજાતે કામ કરવા માટે નહીં.

ભાજપ સમર્પિત સરપંચોને સાંસદે વિશેષ અપીલ કરી કે તેઓ કોન્ટ્રાક્ટર બનવાનું ટાળે અને પોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે વહન કરે. આ સાથે તેમણે ગામના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.