ગીર સોમનાથ: યુવાનની સરાજાહેર હત્યા કરનાર આરોપીઓની ધરપકડ,જુઓ CCTV

ગીર સોમનાથના તાલાલામાં યુવતી સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

New Update
ગીર સોમનાથ: યુવાનની સરાજાહેર હત્યા કરનાર આરોપીઓની ધરપકડ,જુઓ CCTV

ગીર સોમનાથના તાલાલામાં યુવતી સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથના તાલાલામાં સામાન્ય બાબતે બોલાચાલી કરી ચાર શખ્સોએ એક યુવકની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. હત્યાનો LIVE બનાવ CCTVમાં કેદ થયો છે.તાલાલામાં જે યુવકની સરાજાહેર હત્યા નિપજાવવામા આવી છે તેનું નામ ધવલ પીતાંબરભાઈ લાડવા પ્રજાપતિ અને ગીર પંથકના હડમતીયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન છેલ્લા સાત મહિનાથી રાજકોટની એક પરિણીતા સાથે મૈત્રી કરાર કરી તાલાલામાં રહેતો હતો. થોડા દિવસ પહેલા મૃતક અને મૈત્રી કરાર કરી સાથે રહેતી મહિલા વચ્ચે અણબનાવ બનતા પરિણીતા તાલાલામાં તેના સંબંધીના ઘરે ચાલી ગઈ હતી. ધવલ પરિણીતાને મળી પરત ફરી રહ્યો હતો ત્યારે જ રસ્તામાં નરસંગ ટેકરી વિસ્તારમાં ઉભેલા યુવકો સાથે માથાકૂટ અને બાદમાં હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક ધવલ અપશબ્દો બોલતો હોવાના કારણે બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું છે. તાલાલામાં સરાજાહેર હત્યાના બનાવ મામલે મૃતકના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાના આરોપી ફૈઝલ રજાક મજગુલ ઉર્ફે રફતાર પીંજારા, સલીમ રહીમ ભટ્ટી ઉર્ફે ઈરફાન પીંજારા,ઈમરાન રહીમ ભટ્ટી અને આકાશ વાસુદેવ વ્યાસની અટકાયત કરી છે.

Read the Next Article

અમદાવાદમાંક્રેશ થયેલી ફ્લાઇટમાં સવાર પેસેન્જર-ક્રૂનું લિસ્ટ, 50 મૃતદેહ બહાર કઢાયા

અમદાવાદની લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ બાદ ક્રેશ થઈ ગઈ છે. આ ફ્લાઇટમાં 242 પેસેન્જર હતા. આ તમામ પેસેન્જરના નામની યાદી આવી છે.

New Update
image

 

અમદાવાદની લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ બાદ ક્રેશ થઈ ગઈ છે. આ ફ્લાઇટમાં 242 પેસેન્જર હતા. આ તમામ પેસેન્જરના નામની યાદી આવી છે. જેમાં વિજય રૂપાણીનું નામ પણ સામેલ છે.

દુર્ઘટના પહેલાં ફ્લાઇટ ઊંચાઈ 625 ફૂટ નોંધાઈ હતી. એ સમયે ફ્લાઇટ 322 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઊડી રહી હતી. પછી અચાનક જ ફ્લાઇટની ઊંચાઈ ઘટવા લાગી અને ધડાકાભેર તૂટી પડ્યું.

ફ્લાઇટ ટેક ઓફ થયા પછી તરત જ પાયલટે એટીસીને મેડેકોલ આપ્યો હતો. એટલે કે પાયલટને સૌથી મોટા ખતરાનો અંદાજો આવી ગયો હતો. જો કે એટીસી આ બાબતે કોઈ જવાબ આપે એ પહેલાં જ ફ્લાઇટ 475 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે આવવા લાગી. એટલે ગણતરીની સેકન્ડોમાં જ સેકડો લોકો મોતને મુખમાં ધકેલાઈ ગયા. ફ્લાઈટમાં 169 ભારતીય નાગરિકો સવાર હતાજ્યારે બ્રિટનની નાગરિકતા ધરાવતા 53, કેનેડાના અને પોર્ટુગલના નાગરિકો હતા.

ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બરનું લિસ્ટ:-

hh

 

ફ્લાઇટમાં સવાર તમામ પેસેન્જરનું લિસ્ટ:-

ff

 

 

ggg

ttg

66