ગીર સોમનાથ : 45 બ્રિજની તપાસ બાદ સલામતી માટે નિર્ણય,સાત નબળા પુલો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે કાર્યરત પુલ અંગેનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 45 પુલ પૈકી 7 પુલ જોખમી હોવાનું સામે આવ્યું હતું

New Update
  • માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિરીક્ષણ

  • જિલ્લાના 45 બ્રિજનું કરવામાં આવ્યું નિરીક્ષણ

  • 45 પૈકી 7 પુલ નબળા હોવાની મળી માહિતી

  • જોખમી 7 પુલ પર ભારદારી વાહનોને પ્રતિબંધ

  • યુદ્ધના ધોરણે પુલના સમારકામમાં લાગ્યું તંત્ર

ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં 45 પૈકી 7 પુલો નબળા હોવાનું જાણવા મળ્યું હતું.જેના કારણે આ જોખમી સાત બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે કાર્યરત પુલ અંગેનું જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતુંજેમાં 45 પુલ પૈકી 7 પુલ જોખમી હોવાનું સામે આવ્યું હતું.જેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ 7 પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નબળા પુલોમાં ઉના ખાતે મચ્છુન્દ્રી નદી પરનો પુલકાજલી એપીએમસી પાસે હિરણ નદી પરનો પુલતલાલા પંચાયત હસ્તકનો એક પુલ અને એક ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકનો પુલનો સમાવેશ થાય છે. આ તમામ પુલો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સલામતીના પગલાં રૂપે પુલોના બંને છેડે બેરિયર લગાવવાનું કામ ચાલી રહ્યું છે. દેવકા નદી પરના એક પુલનું એપ્રન ધોવાઈ જતા તેની મરામતનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકના ત્રણ નબળા પુલોના સમારકામ માટે સૂચનાઓ આપવામાં આવી છે. તાલાળામાં નવા પુલની મંજૂરી મળી ગઈ છે અને તેનું સોઈલ ટેસ્ટિંગ પૂર્ણ થયું છે. બાકીના બે પુલોના રિપેરિંગ માટે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને સૂચના આપવામાં આવી છે. આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Read the Next Article

'મહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે' : અમદાવાદમાં બેનર લાગતાં વિવાદ, જુઓ પોલીસે શું કહ્યું..!

પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ થયો હતો. અંતે પોલીસે આ પોસ્ટર હટાવી સતર્કતા ગ્રુપ સામે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

New Update
  • મહિલાઓએ રાત્રે પાર્ટીમાં જવું નહીંના પોસ્ટરનો મામલો

  • રેપ થઈ શકેના પોસ્ટર લાગતાં શહેર પોલીસ સજ્જ થઈ

  • પોલીસે વિવિધ વિસ્તારોમાંથી 8થી વધુ બેનર્સ જપ્ત કર્યા

  • સતર્કતા ગ્રુપ સામે પોલીસે નોંધી છે જાણવા જોગ ફરિયાદ

  • તપાસના અંતે ગુનો દાખલ કરાશે : ઇન.DCP સફીન હસન

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંમહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવાનું નહીંરેપ-ગેંગરેપ થઈ શકે છે” તેવા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જોકેઆ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ થયો હતો. અંતે પોલીસે આ પોસ્ટર હટાવી સતર્કતા ગ્રુપ સામે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ટ્રાફિક પોલીસના સહકારથી સતર્કતા ગ્રુપ નામની સામાજિક સંસ્થાએ ટ્રાફિક અવેરનેસના બેનર લગાવ્યા હતા. આ સાથે કેટલાક વિવાદિત બેનર પણ લગાવ્યા હતા. જેમાંમહિલાઓએ રાત્રે પાર્ટીમાં જવું નહીંગેંગ રેપ થઈ શકે છે”, “અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીંરેપ-ગેંગરેપ થઈ શકે છે”, આ પ્રકારના વિવાદિત બેનર ટ્રાફિક પોલીસના સહયોગથી લાગ્યા હોવાથી વિવાદ થયો હતો. જેને લઈને ગતરોજ તમામ વિવાદિત બેનર ઉતારી લેવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા ખુલાસો પણ આપવામાં આવ્યો છે.

ઝોન-1ના ઇન્ચાર્જDCP સફીન હસને જણાવ્યું હતું કેશહેર પોલીસે ઝડપથી કાર્યવાહી કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 8થી વધુ બેનર્સ જપ્ત કરી લીધા છે.'સતર્કતા ગ્રુપનામનીNGOએ ટ્રાફિક પોલીસની મંજૂરી લીધી હતી. પરંતુ તે માત્ર ટ્રાફિક જાગૃતિના સંદેશાઓ માટે હતી. જેમાં હેલ્મેટ પહેરવામોબાઈલ ફોન પર વાત ન કરવી અને રોંગ સાઈડ પર ન જવુંજેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.

NGOએ ટ્રાફિક અવેરનેસના નિયમોની બહાર જઈ મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભા કરતા આવા વિવાદાસ્પદ બેનર્સ કોઈપણ અધિકારી કેટ્રાફિક પોલીસ કર્મચારીના ધ્યાને મુક્યા વગર લગાવ્યા હતા. વધુમાં ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કહ્યું છે કેતેમને આ વિવાદાસ્પદ બેનર્સ સાથે કોઈ લેવા દેવા નથી.

વધુમાં સતર્કતાNGOએ આ બેનર્સ શા માટે લગાડ્યા છેતે જાણવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ જાણવાજોગની તપાસ દરમિયાન એ શોધવામાં આવશે કેશું કોઈની પરવાનગી લીધી હતી કે નહીંત્યારે હવે તપાસના અંતે સતર્કતા ગ્રુપ સામે ગુનો નોંધવામાં આવી શકે છે તેમ અમદાવાદ શહેર પોલીસે જણાવ્યુ હતું.

Latest Stories