ગીર સોમનાથ : ઉનામાં મિત્રએ જ કરી મિત્રની હત્યા,ગળામાં પહેરેલી ધાતુની ચેન મોતનું કારણ બની

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે,યુવકે ગળામાં ખોટી ચેન પહેરી હતી

New Update
  • ઉના શહેરમાં બની હત્યાની ઘટના

  • યુવકે ગળામાં પહેરેલી ધાતુની ચેન બની મોતનું કારણ

  • સોના જેવી લાગતી ચેનની લૂંટમાં થઇ યુવકની હત્યા

  • મિત્રએ જ મિત્રને પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યો

  • પોલીસે કરી આરોપીની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે,યુવકે ગળામાં ખોટી ચેન પહેરી હતી,જે સોનાની સાચી ચેન હોવાનું માનીને લૂંટના ઇરાદે હત્યારાએ યુવકને મચ્છર મારવાના પ્રેસથી બેહોશ કરી દઈ પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.જે ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના અંજાર રોડ પર નજીકના પટમાં એક વ્યક્તિનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે સ્થળ તપાસ કરતા પથ્થરના ઘા મારી જીતુ સોલંકી નામના યુવાનનું મોત નીપજાવ્યાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે વિવિધ ટીમો બનાવી અને શહેરના વિવિધ સીસીટીવી અને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો,જેમાં પોલીસે ઉનાના જ નવાઝ અઝીમ કચરા નામના યુવકની અટકાયત કરીને સઘન પૂછપરછ કરી હતી.અને પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી.

ચ્હાની લારી ધરાવતા જીતુ સોલંકી પોતાના ગળામાં સોના જેવી ધાતુની ચેન પહેરતા હોય તેને લૂંટવાના ઇરાદે નવાઝ કચરાએ નદીના પટમાં જીતુને મચ્છર મારવાના પ્રેસથી બેહોશ કરીને   તેમને મોટા બે પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો,અને આ ધાતુની ચેનની લૂંટ ચલાવી હતી,તેમજ આ ચેન આરોપી સોનીને વેચવા જતા સોનીએ આ દાગીનાનું બિલ માગ્યું હતું,જેના કારણે આરોપી નવાઝ કચરા શંકાના દાયરામા આવી ગયો હતો.પોલીસે હાલ આરોપી નવાઝ કચરાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.