ગીર સોમનાથ : વેરાવળ પંથકમાં વરસાદે વિનાશ વેર્યો, મગફળીનો પાક નષ્ટ થતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીર...

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો છે. તો પશુધન માટેનો ચારો પણ નષ્ટ થતાં જગતના તાત ચિંતિત બન્યા છે.

New Update

વેરાવળ પંથકમાં ભારે વરસાદે વેર્યો વિનાશ

ખેડૂતોની મહેનતનું વળતર તાણી ગયો વરસાદ

ખેતરમાં પડેલ મગફળીનો તૈયાર પાક નષ્ટ થયો

10થી વધુ ગામના સેંકડો ખેડૂતોને મોટું નુકશાન

સરકાર દ્વારા સહાય ચૂકવાય તેવી ખેડૂતોની માંગ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો છે. તો પશુધન માટેનો ચારો પણ નષ્ટ થતાં જગતના તાત ચિંતિત બન્યા છે.

સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા આ મહેર એક કહેર સમાન બની ગઇ હતી. આ દ્રશ્યો છેગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના ખેરાળીદેદાચમોડા સહિતના 10 વધુ ગામના. કેજ્યાં ખેડૂતોએ 4 મહિના મહા મહેનતે તૈયાર કરેલ મગફળીના પાક ઉપર પાછોતરા વરસાદે જાણે પાણી ફેરવી દીધું હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. ધરતીપુત્રોએ પોતાની વેદના ઠાલવતા મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયાનો વસવસો વ્યક્ત કર્યો હતો. આ સાથે જ પશુઓ માટેનો નિરણ ઘાસચારો પણ સડી જતા ખેડૂતો ચિંતીત જોવા મળ્યા હતાત્યારે હવે નિષ્ફળ ગયેલા પાકોનું સરકાર દ્વારા સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવાય તેવી માંગ ઉઠી છે.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.