ગીર સોમનાથ : વેરાવળ પંથકમાં વરસાદે વિનાશ વેર્યો, મગફળીનો પાક નષ્ટ થતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીર...

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો છે. તો પશુધન માટેનો ચારો પણ નષ્ટ થતાં જગતના તાત ચિંતિત બન્યા છે.

New Update

વેરાવળ પંથકમાં ભારે વરસાદે વેર્યો વિનાશ

ખેડૂતોની મહેનતનું વળતર તાણી ગયો વરસાદ

ખેતરમાં પડેલ મગફળીનો તૈયાર પાક નષ્ટ થયો

10થી વધુ ગામના સેંકડો ખેડૂતોને મોટું નુકશાન

સરકાર દ્વારા સહાય ચૂકવાય તેવી ખેડૂતોની માંગ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો છે. તો પશુધન માટેનો ચારો પણ નષ્ટ થતાં જગતના તાત ચિંતિત બન્યા છે.

સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા આ મહેર એક કહેર સમાન બની ગઇ હતી. આ દ્રશ્યો છેગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકના ખેરાળીદેદાચમોડા સહિતના 10 વધુ ગામના. કેજ્યાં ખેડૂતોએ 4 મહિના મહા મહેનતે તૈયાર કરેલ મગફળીના પાક ઉપર પાછોતરા વરસાદે જાણે પાણી ફેરવી દીધું હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. ધરતીપુત્રોએ પોતાની વેદના ઠાલવતા મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયાનો વસવસો વ્યક્ત કર્યો હતો. આ સાથે જ પશુઓ માટેનો નિરણ ઘાસચારો પણ સડી જતા ખેડૂતો ચિંતીત જોવા મળ્યા હતાત્યારે હવે નિષ્ફળ ગયેલા પાકોનું સરકાર દ્વારા સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવાય તેવી માંગ ઉઠી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..