ગીર સોમનાથ : સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા કાજે સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજા કરાઈ

ગીર સોમનાથનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા માટે વિશેષ પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • પાકિસ્તાન સાથે સંભવિત યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ

  • દેશની રક્ષા કરતા સેનાના જવાનો માટે વિશેષ પૂજા

  • સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા કરાયું આયોજન

  • સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજાનું કરાયું આયોજન

  • સેનાના જવાનોની રક્ષા માટે સોમનાથ મહાદેવને કરાઈ પ્રાર્થના

ગીર સોમનાથનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા માટે વિશેષ પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે,અને પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓ સહિત 90 જેટલા આતંકીઓનો ખાતમો બોલાવી દીધો હતો.અને  ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભવિત પરિસ્થિતિ સર્જાઈ છેત્યારે પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશની સુરક્ષા કરતા સેનાના જવાનો માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.ભગવાન સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.અને સેનાનાં જવાનોની રક્ષા માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.

 

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.