-
પાકિસ્તાન સાથે સંભવિત યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ
-
દેશની રક્ષા કરતા સેનાના જવાનો માટે વિશેષ પૂજા
-
સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા કરાયું આયોજન
-
સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજાનું કરાયું આયોજન
-
સેનાના જવાનોની રક્ષા માટે સોમનાથ મહાદેવને કરાઈ પ્રાર્થના
ગીર સોમનાથનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા માટે વિશેષ પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે,અને પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓ સહિત 90 જેટલા આતંકીઓનો ખાતમો બોલાવી દીધો હતો.અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભવિત પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશની સુરક્ષા કરતા સેનાના જવાનો માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.ભગવાન સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.અને સેનાનાં જવાનોની રક્ષા માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.