ગીર સોમનાથ : સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા કાજે સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજા કરાઈ

ગીર સોમનાથનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા માટે વિશેષ પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • પાકિસ્તાન સાથે સંભવિત યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ

  • દેશની રક્ષા કરતા સેનાના જવાનો માટે વિશેષ પૂજા

  • સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા કરાયું આયોજન

  • સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજાનું કરાયું આયોજન

  • સેનાના જવાનોની રક્ષા માટે સોમનાથ મહાદેવને કરાઈ પ્રાર્થના

ગીર સોમનાથનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા માટે વિશેષ પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે,અને પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓ સહિત 90 જેટલા આતંકીઓનો ખાતમો બોલાવી દીધો હતો.અને  ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભવિત પરિસ્થિતિ સર્જાઈ છેત્યારે પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશની સુરક્ષા કરતા સેનાના જવાનો માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.ભગવાન સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.અને સેનાનાં જવાનોની રક્ષા માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.

Read the Next Article

જુનાગઢ :  ભવનાથ ક્ષેત્રમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણીમાં તરબોળ બન્યા ભક્તો,ગુરુવંદના,મંત્રોચ્ચારની ઉઠી ગુંજ

જૂનાગઢમાં ભવનાથમાં અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા પર્વને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી.વિવિધ આશ્રમમાં ખાસ મંત્રોચ્ચાર, હવન, પૂજન, ગુરુવારણ

New Update

ભવનાથમાં ગુરૂપૂર્ણિમાની કરાઈ ભવ્ય ઉજવણી

ગુરુને પામવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા

પુનિત આશ્રમમાં ભાવિકોએ કર્યું ગુરુ પૂજન

પુનિત આશ્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો રહ્યા ઉપસ્થિત

ભજન કિર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા

જૂનાગઢમાં ભવનાથમાં અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા પર્વને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી.વિવિધ આશ્રમમાં ખાસ મંત્રોચ્ચારહવનપૂજનગુરુવારણગુરુચરણ સ્પર્શદક્ષિણા અર્પણ અને પ્રસાદ વિતરણની ધાર્મિકવિધિઓ યોજાઈ હતી.

જૂનાગઢના ગિરનાર પર્વતના પાયે આવેલ ભવનાથમાં ગુરુપૂર્ણિમાના પર્વની  ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગૌરક્ષ નાથ આશ્રમભારતી આશ્રમપુનિત આશ્રમ,રૂદ્રેશ્વર જાગીરમહાદેવપથ આશ્રમ સહિત વિવિધ આશ્રમોમાં આસ્થા વિશ્વાસ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.શિષ્યોએ ગુરુના ચરણોમાં ફૂલનાળિયેરફળ અને દક્ષિણા અર્પણ કરી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુઓએ શિષ્યોને જીવનના સાચા માર્ગનો ઉપદેશ આપ્યો હતો.આ પ્રસંગે રુદ્રાભિષેક,ગુરુવારણયજ્ઞભજનસત્સંગપ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.