ગોઝારો “બુધવાર” : રાજ્યમાં અલગ અલગ અકસ્માતોમાં 7 લોકોના મોત, બે’ફામ વાહન હંકારવું અકસ્માતોનું મુખ્ય કારણ..!

ગુજરાત રાજ્યમાં આજે બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટી જતાં સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા, 

New Update
  • ગુજરાત રાજ્યમાં બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો

  • ખેડા નજીક હાઈવે પર કારનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત

  • અમદાવાદ-વડોદરા હાઈવે પર અકસ્માતમાં 3 લોકોના મોત

  • દાહોદ-તોયણી પાસે બાઈક વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના મોત

  • સુરત-કામરેજ નજીક અજાણ્યા વાહનની ટક્કરે શ્રમજીવીનું મોત

ગુજરાત રાજ્યમાં આજે બુધવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટી જતાં સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતાજ્યારે દાહોદના તોયણી ગામે 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3 યુવકો મોતને ભેટ્યા હતા. તો સુરતના કામરેજ નજીક અજાણ્યા વાહનની ટક્કરે શ્રમજીવીનું મોત થયું હતું.

રાજ્યમાં શિયાળાની ઠંડીનો પ્રારંભ થતાંની સાથે જ અકસ્માતોની વણઝાર પણ શરૂ થઈ ગઈ છે. જેમાં અલગ અલગ અકસ્માતોમાં 6થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ખેડા જિલ્લામાંથી પસાર થતાં અને અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે ગત મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રિજ નજીક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ જતી કારનું ટાયર એકાએક ફાટતા કાર ડિવાઈડર કૂદી રોગ સાઈડે ઘૂસી હતીઅને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં કારમાં સવાર એક મહિલા સહિત 2 પુરુષોના મોત થયા હતાજ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઇવે પર અંદાજીત 15 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતીઅને મૃતદેહોને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે મૃતકોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નિવેદન લેવાની કાર્યવાહી આરંભી હતી.

તો બીજી તરફઅકસ્માતની અન્ય એક ઘટના દાહોદ જિલ્લામાંથી સામે આવી છે. દેવગઢ બારીયા તાલુકાના તોયણી ગામ નજીક પીપલોદ-રણધીકપુર રોડ પર 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાઈક પર સવાર 3 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એક યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુંજ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતાજ્યારે બીજી બાઈક પર સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ તરફસુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર કામરેજ સુગર નજીક એક શ્રમજીવી હાઇવે પસાર કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને આ રાહદારીને અડફેટમાં લીધો હતો. જેને લઇને રાહદારી હાઇવે પર ફંગોળાઈ ગયો હતોઅને શરીરે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જોકેઅકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સુરત જિલ્લા NHAI વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેપૂરપાટ ઝડપે અને બેફામ વાહન હંકારતા વાહનચાલકો અવાર નવાર આ પ્રકારના અકસ્માતો સર્જી નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે.

 

Read the Next Article

ભરૂચ: વાલિયાથી વાડીને જોડતા મુખ્યમાર્ગ પર વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહારને અસર

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

New Update
sdhgifg

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

છેલ્લા 4 દિવસથી ભરૂચના વાલિયા તાલુકામાં અવિરત વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થવાનો ઘટનાઓ સામે આવી છે ત્યારે વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થયું છે.જેને પગલે વાહન વ્યવહારને અસર થઈ છે.વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગતરોજ સાંજે વાલિયા પોલીસને જાણ થતાં સ્ટાફ દ્વારા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગ દર્શન હેઠળ વૃક્ષને માર્ગની બાજુમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.