Connect Gujarat
ગુજરાત

ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર, બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)એ ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર કર્યું છે.

ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર, બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ
X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)એ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર કર્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે.

કોરોનાને લીધે માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ ધોરણ 12 સાયંસના એક લાખ સાત હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર થયેલુ પરિણામ માત્ર સ્કૂલો પોતાના ઈંડેક્સ નંબરના આધારે જોઈ શકશે. જ્યારે વિદ્યાર્થીઓ સીધુ પોતાનું પરિણામ જોઈ શકશે નહી.

સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓનું પરિણામ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપી શકશે. વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવા માટે શિક્ષણ બોર્ડ અલગથી સૂચના આપશે. ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. પરિણામ આવ્યા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ આવ્યાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટેશિક્ષણ બોર્ડ અલગથી પરીક્ષા યોજશે. જે અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે.

ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ રિઝલ્ટ જાહેર થતાં તેમની માર્કશીટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશીટ જ પ્રાપ્ત થશે. અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે. શાળાઓ જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે.

વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે પરિણામ અંગે સરકારે જે ફોર્મેટ જાહેર કર્યું એનાથી પરિણામ માટે અંદાજ હતો. આજે પરિણામ જાહેર થયું, તેથી એની કોપી લેવા આવ્યા છીએ. પરિણામને લઇને વિદ્યાથીઓમાં ખુશીનો માહોલ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 6 ઓગષ્ટ 2021નાં રોજ ગુજકેટ પરીક્ષા લેવાશે. સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ગુજકેટ પરીક્ષા યોજાશે.

હાલમાં ગુજકેટ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા હોલ ટિકિટ ઈશ્યૂ કરવામાં આવશે. ત્યારબાદ પરીક્ષા માટેની અંતિમ તૈયારીઓ કરવામાં આવશે. બોર્ડ દ્વારા ગતવર્ષે પણ ઓગસ્ટમાં જ ગુજકેટ લેવામાં આવી હતી. ત્યારબાદ આ વખતે પણ ગુજકેટ ઓગસ્ટમાં જ લેવાનું નક્કી કરાયું છે. ગુજકેટ 6 ઓગસ્ટે સવારે 10થી 4 દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.

Next Story