ગુજરાત : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતાધિકારનો લગ્નવિધિ પહેલા ઉપયોગ કરતા દુલ્હા-દુલ્હન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે લગ્નની મોસમ પણ ચાલી રહી છે,ત્યારે દુલ્હા અને દુલ્હન દ્વારા લગ્નવિધિ પહેલા મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા માટે પ્રેરણા આપી

New Update
  • સ્થાનિક સ્વરાજની યોજાઈ રહી છે ચૂંટણી

  • મતાધિકારનો ઉપયોગ કરતા દુલ્હા-દુલ્હન

  • લગ્નવિધિ પહેલા કર્યું મતદાન

  • લગ્નબંધનથી બંધાતા પહેલા રાષ્ટ્રપ્રેમની ફરજ નિભાવી 

  • અન્ય લોકોને પણ મતદાન કરવા માટે કરી અપીલ  

Advertisment

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે.સવારના 7 વાગ્યાથી જ લોકો મતદાન કરી રહ્યા છે.આજે ઘણા લગ્નના પ્રસંગો પણ છે.ત્યારે મતદાન બુથ પર લગ્ન પહેલા વરરાજા અને કન્યા મતદાન કરતા જોવા મળ્યા હતા.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સવારના 7 કલાકથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે,જોકે હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે,ત્યારે દુલ્હા અને દુલ્હન દ્વારા લગ્નવિધિ પહેલા મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. 

ભરૂચ જિલ્લાના આમોદના ભીમપુરા ગામે વરરાજાએ મતદાન કર્યું હતુંજેમાં વરરાજા કિરણ પ્રજાપતિએ પરિવારજનો સાથે મતદાન કર્યું હતું,આછોદ જિલ્લા પંચાયતની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.ત્યારે કિરણ પ્રજાપતિએ લગ્નવિધિ પહેલા મતાધિકરનો ઉપયોગ કરીને ચૂંટણી ઉત્સવમાં સહભાગી બન્યા હતા.

જ્યારે પાટણ જિલ્લામાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજાએ  મતદાન કર્યું હતું.રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં વરરાજાએ મતદાન કરી પોતાના લગ્ન માટે રવાના થયા હતા.વરરાજાએ મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.

નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે પણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.ત્યારે બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ લગ્નમંડપથી સીધા મતદાન બુથ પર આવીને મતદાન કર્યું હતું. લગ્નના બંધનમાં બંધાયએ પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી છે. મતદાન બાબતે અતિ જાગૃતતા દર્શાવી યુવતીએ પોતાનો નાગરિક ધર્મ નિભાવ્યો હતો.

ભાવનગર જિલ્લાના મહાનગરપાલિકાના વડવા બ વોર્ડ નંબર 3ની એક બેઠક પરની પેટા ચૂંટણી યોજાઈ રહી છે.જેમાં લગ્નગ્રંથીથી જોડાય એ પહેલા દુલ્હન પરિતા વિનોદભાઇ બાબરીયાએ પરિવારજનો સાથે મતદાન કર્યું હતું,અને મતદાનએ પવિત્ર ફરજ છે જેને પ્રાધાન્ય આપતા દુલ્હને લગ્ન મંડપમાં પહોંચતા પહેલા એક નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી હતી,અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

Advertisment
Read the Next Article

સુરેન્દ્રનગર :પિતા પુત્ર એન્કાઉન્ટરમાં PSI સહિત 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસબેડામાં ચકચાર

ધ્રાંગધ્રા કોર્ટના આદેશના આધારે હવે બજાણા પોલીસ સ્ટેશનમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

New Update
aa
  • ચાર વર્ષ પહેલા બન્યો હતો એન્કાઉન્ટરનો બનાવ

  • પિતાપુત્રનું પોલીસ ફાયરિંગમાં થયું હતું મોત

  • પરિવારે વ્યક્ત કરી હતી એન્કાઉન્ટરની શંકા

  • પોલીસ સામે FIR નોંધવા માટે કોર્ટે કર્યો હુકમ

  • PSI સહિત 7 પોલીસકર્મી સામે નોંધાઈ ફરિયાદ

Advertisment

સુરેન્દ્રનગર જિલ્લાના ગેડિયામાં ચાર વર્ષ પહેલા થયેલા પિતા-પુત્રના એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક આવ્યો છે.ધ્રાંગધ્રા કોર્ટના આદેશના આધારે હવે બજાણા પોલીસ સ્ટેશનમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલામાં પરિવારજનોએ શરૂઆતથી જ આ એન્કાઉન્ટરને નકલી ગણાવતા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.કોર્ટના આદેશ બાદ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેડિયામાં રહેતા હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદિનખાનનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. પોલીસના દાવા મુજબહનીફખાન સામે કુલ 86 ગુના નોંધાયેલા હતા,અને તેમાંથી 59 ગુનાઓમાં તે વોન્ટેડ હતો. આરોપીને ઝડપી લેવાના પોલીસના પ્રયાસ દરમિયાન તેણે પોલીસ પર હુમલો કર્યો હોવાના દાવા સાથે પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતુંજેના પગલે પિતા અને પુત્રનું મોત થયું હતું.

આ ઘટના સમયે PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ હતા. જોકેમૃતકોના પરિવારજનો એન્કાઉન્ટર નકલી ગણાવી રહ્યા હતા.તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર  કર્યો હતો અને સમગ્ર કેસમાં ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી હતી.

ઘટનાના ચાર વર્ષ બાદ ધ્રાંગધ્રા કોર્ટના સ્પષ્ટ આદેશ બાદ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. હવે PSI સહિત તમામ પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં આરોપીઓમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા,દિગ્વિજયસિંહ,રાજેશ સવજીભાઈકિરીટ ગણેશભાઈ,પ્રહલાદ પ્રભુભાઈ,શૈલેશ પહલાદભાઈ,ગોવિંદભાઈ સામે ગુનો નોંધાયો છે.

આ કેસમાં ગેડીયા ગામે મરણ જનાર હનીફખાનની દીકરીએ હાઈકોર્ટમાં ફેક એન્કાઉન્ટર હોવાની સાથે પોલીસ વિરુદ્ધ મર્ડરનો ગુન્હો નોંધવા અપીલ કરી હતી. જેના આધારે નામદાર કોર્ટે હુકમ કરતા આ ફરિયાદ નોંધાઈ છે.ગેડીયાની મહિલાએ પોતાના પતિ અને પુત્રનું એન્કાઉન્ટર કરવાની પોલીસે ધમકી આપ્યાની બનાવના પહેલા જ અરજી કરી હતી.જે મહત્વની પુરવાર થઇ હતી. નામદાર કોર્ટના હુકમ બાદ પોલીસ દ્વારા રીવીઝન અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જે પણ કોર્ટે ફગાવી દેવાની સાથે પીઆઇને ફરિયાદ ન નોંધવા બદલ શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

Advertisment