રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 55 હજારને પાર થયો છે. 55798 એક્ટિવ કેસ થયા છે. તો ફરી કેસમાં ઘટાડો થયો છે આજે 10019 કેસ નોંધાયા છે જ્યારે ગઈકાલે 11 હજારનો આંકડો પાર કર્યો હતો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10019 નવા કેસ નોંધાયા છે અને 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3090 કેસ નોંધાયા છે. સુરતમાં 2986 કેસ નોઁધાયા છે. નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત નોઁધાયા છે. હવે રાજ્યમાં ત્રીજી લહેર બીજી લહેરની પીક કરતા 3000 કેસ જેટલી જ દૂર છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે હવે 11176 કેસ આવી ચૂક્યા છે.