ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યા યોગ-પ્રણાયામ
ગાંધીનગર પોતાના નિવાસ સ્થાને કર્યા યોગ-પ્રણાયામ, કોરોનામાં યોગ કરવાથી માનસિક મનોબળ થાય મજબૂત.
21મી જુનના રોજ દેશ અને વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાને યોગ અને પ્રણાયામ કર્યા હતા. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં યોગ કરવાથી માનસિક મનોબળ મજબૂત થાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે.
દેશભરમાં આજે 7મો વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સામાન્ય જનતા સાથે રાજનેતાઓ અને અધિકારીઓ સહિત દરેક વ્યક્તિ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બની રહ્યા છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાને અલગ અલગ યોગ અને પ્રણાયામ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, યોગ આપણા ઋષિમુનિઓની દેન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને વિશ્વ ફલક પર પહોચાડ્યો છે. જોકે, કોરોના મહામારીની વર્તમાન સ્થિતિમાં યોગ કરવાથી માનસિક મનોબળમાં પણ વધારો થાય છે, ત્યારે દરેક વ્યક્તિએ અને દરેક પરિવારના સભ્યોએ નિયમિત યોગ કરવા જોઈએ.
અમદાવાદ અને અન્ય જિલ્લાની સાથે ગાંધીનગરમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વરિષ્ઠ મંત્રી મંડળના સભ્યોએ યોગ કર્યા હતા. કોરોનાની ગાઈડલાઈન મુજબ સીમિત સંખ્યામાં લોકો યોગમાં જોડાયા હતા. આમ હવે દેશભરમાં યોગ પ્રાણાયામ પ્રત્યે લોકોની રુચિ પણ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી જ યોગને આંતરાષ્ટ્રીય ફલક પર ખ્યાતિ મળી છે. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વિશ્વમાં સૌ કોઈને યોગનું મહત્વ સમજાયું છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT