ગુજરાત : રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત

મધરાતે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી,વલસાડ,ભરૂચ,નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે.

New Update
  • ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ

  • ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ

  • ગાજવીજ અને પવન સાથે વરસ્યો વરસાદ

  • ભરૂચના જંબુસરમાં વૃક્ષ થયું ધરાશાયી

  • નવસારીમાં પણ વરસાદ માહોલ જામ્યો  

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.મધરાતે અમદાવાદગાંધીનગરબનાસકાંઠાપાટણસાબરકાંઠાનવસારી,વલસાડ,ભરૂચ,નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે.

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે,જેમાં અમરેલીભાવનગરભરૂચનર્મદાતાપીનવસારીડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

પશ્ચિમ રાજસ્થાન અપર એર સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. એ સિવાય ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠામાં 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મધરાતે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં અનેક કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા. જ્યારે ખેડૂતોના ખેતરોમાં ઉભા કેળના પાકને પણ મોટું નુકસાન થયું છે.

જાણવા મળ્યા મુજબ તારીખ 30મીના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કેબનાસકાંઠાપાટણમહેસાણાસાબરકાંઠાગાંધીનગરઅરવલ્લીખેડાઅમદાવાદઆણંદપંચમહાલદાહોદ અને મહાનગરમાં અલગ-અલગ સ્થળોએ જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરાછોટા ઉદેપુરનર્મદાભરૂચસુરતડાંગનવસારીવલસાડતાપી અને દમણદાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના જંબુસરમાં નહાર કાવી રોડ પર એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું હતું,જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી,જ્યારે સ્થાનિકોએ રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી કરી હતી. 

Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.