ગુજરાતમાં “મેઘમહેર” : મધ્ય-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ

છેલ્લા 3-4 દિવસથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી સહિત વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યના 50 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

New Update

છેલ્લા 3-4 દિવસથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતનવસારી સહિત વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યના 50 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસને લઈને ભારે વરસાદની આગાહી દર્શાવાય છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી તથા દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રફ સર્જાયો હોવાથી રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. વહેલી સવારથી જ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે.

સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી રસ્તા પર પાણી ભરાયા હતા. તો સુરતનવસારીવલસાડ સહિતના વિવિધ જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફસર્વત્ર મેઘમહેર થતાં રાજ્યના 50 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જોકેઆગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે