હીરાબાની તબિયતમાં સુધાર, 2 દિવસમાં મળશે રજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં એડમિટ હોય ગઈકાલે પીએમ મોદી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

New Update
હીરાબાની તબિયતમાં સુધાર, 2 દિવસમાં મળશે રજા
Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં એડમિટ હોય ગઈકાલે પીએમ મોદી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ સાથે હોસ્પિટલમાં સહિત પરિવારના સભ્યો PM મોદીના ભાઈ પંકજ ભાઈ મોદી, સોમાભાઈ મોદી સહિતના પરિવારજનો પણ હતા. જોકે હવે હીરાબાની તબિયતને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત હવે સુધરી રહી છે ગઇકાલે સવારમાં તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ ગઈકાલે હેલ્થ બુલેટિન બહાર પાડ્યું હતું કે, તેમની તબિયતમાં સુધારો થયો છે ગઇકાલ બાદ આજે સવારે ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચી ગયા છે. જે બાદમાં તેમણે જણાવ્યું હતું કે, હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. જેથી આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

Latest Stories