Connect Gujarat
ગુજરાત

અમરેલી : હોમગાર્ડ જવાનનું અવસાન થતાં પરિજનોને સહાય ચેક અર્પણ કરાયો

અમરેલી : હોમગાર્ડ જવાનનું અવસાન થતાં પરિજનોને સહાય ચેક અર્પણ કરાયો
X

અમરેલી જિલ્લાના જાફરાબાદ યુનિટના હોમગાર્ડ જવાનનું અવસાન થતાં ૧,૫૫,૦૦૦/- રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, ત્યારે પૂર્વ સંસદીય સચિવ અને જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલી જીલ્લામાં હોમગાર્ડઝ સભ્યો પોલીસની મદદમાં કાયદો વ્યવસ્થા તેમજ ધાર્મિક અને વી.વી.આઈ.પી. બંદોબસ્ત તેમજ ચૂટંણી જેવી અગત્યની ફરજો ઉપરાંત કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વેળાએ ખભેથી ખભા મેળવી નિષ્કામ પોતાની સેવા આપી રહ્યા છે, ત્યારે જાફરાબાદ યુનિટના હોમગાર્ડ જવાન દિનેશ શિયાળનું દુઃખદ અવસાન થતાં તેઓના વારસદાર અને પત્નિને મૃત્યુ સહાયરૂપે ૧,૫૦,૦૦૦/- રૂપિયા અને મરણોત્તર સહાય ૫,૦૦૦ રૂપિયા મળી કુલ મળીને ૧,૫૫,૦૦૦/- રૂપિયાનો ચેક ગુજરાત સરકારના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીના વરદ હસ્તે અમરેલી જીલ્લા કમાન્ડન્ટ અશોક જોષીની હાજરીમાં અર્પણ કરાયો હતો.

આ તકે અજયસિંહ ગોહિલ ઇન્ચાર્જ ઓફિસર હોમગાર્ડ યુનિટ રાજુલા તથા શરદ સાપરિયાં ઇન્ચાર્જ ઓફિસર હોમગાર્ડ યુનિટ લીલીયા અને મનીષ મહેતા ઑફિસર ઇન્ચાર્જ હોમગાર્ડ ટીંબી અને અરવિંદ બારૈયા ઑફિસર કમાંન્ડીગ જાફરાબાદ હોમગાર્ડ યુનિટના જવાનો હાજર રહ્યા હતા.

Next Story