સોમવારની જાહેર રજાની અવેજીમાં CM ભુપેન્દ્ર પટેલ નાગરિકોને આગામી 5 તારીખે મુલાકાત આપશે

New Update
સોમવારની જાહેર રજાની અવેજીમાં CM ભુપેન્દ્ર પટેલ નાગરિકોને આગામી 5 તારીખે મુલાકાત આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ગુરુવાર તારીખ પાંચમી ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે નાગરિકોને મુલાકાત આપવાનો નિર્ણય કર્યો છે.

Advertisment W3.CSS

અઠવાડિયાના પ્રથમ બે દિવસે એટલે કે સોમવાર અને મંગળવારે નાગરિકો મુખ્યમંત્રીને કોઈપણ પૂર્વનિર્ધારિત એપોઈન્ટમેન્ટ સિવાય મળી શકતા હોય છે. પરંતુ ઓક્ટોબર-૨૦૨૩ના પ્રથમ સોમવારે તારીખ ૨ ઓક્ટોબરે ગાંધી જયંતિની સરકારી કચેરીઓમાં જાહેર રજા હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ જાહેર રજાને કારણે નાગરિકોને રાબેતા મુજબ મળી શક્યા ન હતાં. આથી મુખ્યમંત્રીએ તેમને મળવા આવતા નાગરિકોની સુવિધા માટે એવો નિર્ણય કર્યો છે કે ગત સોમવારે બીજી ઓક્ટોબરની જાહેર રજાની અવેજીમાં હવે આગામી ગુરૂવાર પાંચમી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે તેઓ નાગરિકોને મુલાકાત આપશે.