Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 307 પોઝિટિવ કેસ નોંધાયા, 360 દર્દીઓ થયા સાજા

ગુજરાતમાં સતત બે દિવસથી ઘટી રહેલા કોરોના કેસમાં આજે વધારો નોંધાયો,

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 307 પોઝિટિવ કેસ નોંધાયા, 360 દર્દીઓ થયા સાજા
X

ગુજરાતમાં સતત બે દિવસથી ઘટી રહેલા કોરોના કેસમાં આજે વધારો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 307 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 360 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.98 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 11,000 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી આજે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 84, વડોદરા કોર્પોરેશન 30, સુરત કોર્પોરેશન 14, સુરત 12, ગાંધીનગર કોર્પોરેશન 10, નવસારી 10, સાબરકાંઠા 10, વલસાડ 10, ડાંગ 9, રાજકોટ કોર્પોરેશન 9, બનાસકાંઠા 8, જામનગર કોર્પોરેશન 8, મોરબી 8, મહેસાણા 7, ભરૂચ 6, રાજકોટ 6, ગાંધીનગર 5, કચ્છ 5, પાટણ 5, અમરેલી 4, પંચમહાલ 3, અમદાવાદ 2, આણંદ 2, ગીર સોમનાથ 2, જામનગર 2, ખેડા 2, દાહોદ 1, સુરેન્દ્રનગર 1, તાપી 1 નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 1965 એક્ટીવ કેસ છે જે પૈકી 19 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 1946 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,55,585 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 11,000 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,94,216 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,19,34,488 લોકોનું રસીકરણ થયું છે.

Next Story