/connect-gujarat/media/post_banners/567d426ce808f666c1b0c8ee6f9c0156714baf8c20f339aacd8eccd502623e5c.jpg)
સમગ્ર રાજ્ય સહિત જામનગરમાં પણ બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને વિશ્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલ સંસ્થા દ્વારા અનેક શાળાઓમાં આત્મહત્યા વિરોધી પ્રેરણાત્મક પોસ્ટર લગાવવામાં આવ્યા..
જામનગરમાં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને દરવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલપમેન્ટ કાઉન્સીલ નામની સંસ્થા દ્વારા વિધ્યાર્થીઓને મૂંઝવણ વગર પરીક્ષા આપે તે માટે શહેરની વિવિધ શાળાઓમાં તથા બોર્ડના સેન્ટરો પર આત્મહત્યા વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક પોસ્ટર લગાવી જાગૃતિ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. બોર્ડ પરીક્ષા દરમિયાન સંસ્થાના મંત્રી વૈશાલી રાયઠઠ્ઠાને હેલ્પલાઇન નંબર 9925501394 પર સંપર્ક કરી શકાશે અને વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન કોઈ મૂંઝવણ હોય તો તાત્કાલિક સંપર્ક કરી ડિપ્રેશન જેવી સમસ્યા દૂર કરવા પ્રયત્ન કરાશે..