જામનગર : મોંઘવારીના રાક્ષસને પ્રોત્સાહન આપતી સરકારને જગાડવા કોંગ્રેસના ધરણાં
BY Connect Gujarat Desk15 Oct 2021 12:00 PM GMT
X
Connect Gujarat Desk15 Oct 2021 12:00 PM GMT
દેશમાં વધી રહેલી અસહ્ય મોંઘવારીના વોરોધમાં જામનગર શહેરના લાલ બાંગ્લા સર્કલ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં વધતી જતી અસહ્ય મોંઘવારીના વિરોધમાં જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જામનગર લાલ બાંગ્લા સર્કલ મોંઘવારીના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર અને ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મોંઘવારીના રાક્ષસના પૂતળા દહન કરી વિજયાદશમીના દિવસે મોંઘવારીના રાક્ષસને સતત પ્રોત્સાહન આપતી આ ભાજપ સરકારને કુંભકર્ણની નીંદરમાંથી જગાડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણ કુંભારવાડીયા, શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ શહેર અને જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story