ઝારખંડ: ધનબાદમાં કોલસાના ખનન દરમિયાન દર્દનાક દુર્ઘટના, 13 શ્રમિકોના મોત
ઝારખંડના ધનબાદમાં કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં લગભગ 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. એક ડઝનથી વધુ લોકો તેમાં દટાયા હોવાની આશંકા વચ્ચે ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
BY Connect Gujarat Desk1 Feb 2022 1:33 PM GMT
X
Connect Gujarat Desk1 Feb 2022 1:33 PM GMT
ઝારખંડના ધનબાદમાં કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં લગભગ 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. એક ડઝનથી વધુ લોકો તેમાં દટાયા હોવાની આશંકા વચ્ચે ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ધનબાદમાં કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટના અંગે કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો ગેરકાયદેસર ખાણકામ કરવા માટે આઉટ સોર્સિંગ પર આવ્યા હતા. ખાણમાં ટ્રેન્ચ કટિંગ કરવામાં આવી હતી. ત્યારે જ અચાનક ડ્રાઈવર 20 ફૂટ ઉપરથી નીચે પડી ગયો હતો. જેમાં એક ડઝનથી વધુ લોકો ફસાઈ ગયા હતા.
બનાવની જાણ થતાં ધનબાદની નિરસા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની જાણકારી લીધી. ત્યારબાદ કોલસામાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોને આ મામલાની જાણ થતાં જ લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસ અને ECL મેનેજમેન્ટે જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
Next Story