-
જૂનાગઢમાં સારા વરસાદનું સારું પરિણામ
-
13 જેટલા ડેમમાં 95 ટકા પાણીનો છે સંગ્રહ
-
400 ગામના લોકોને મળશે પાણી
-
જુલાઈના અંત સુધી મળી રહેશે પાણી
-
મનપા દ્વારા પાણી વિતરણ માટે કરાયું આયોજન
જૂનાગઢ જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડ્યો હોવાથી 13 જેટલા ડેમમાં પાણીનો ખૂબ સારા પ્રમાણમાં સંગ્રહ થયો છે.જેના કારણે આ આ વર્ષે લોકોને પીવા માટે પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને પાણીની અછત સર્જાશે નહીં.
જૂનાગઢ જિલ્લાના 13 ડેમમાં 95 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે,ત્યારે ઓજત વીયર ડેમ મારફત 400થી વધુ ગામડાઓને પૂરતું પાણી જુલાઈ મહિનાના અંત સુધીમાં પૂરું પાડી શકાય તેમ છે. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને આણંદ વીયર ડેમમાં સંગ્રહ થયેલા 84 ટકા પાણી પણ લોકોને પાણીની ઘટ ન વર્તાય તે રીતે વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢવાસીઓને પીવાનું પાણી આ વર્ષે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા ઓજત બે સિંચાઈ યોજના માંથી 400થી વધુ ગામોને આપવામાં આવ્યા છે. જેમાં આ વર્ષે જુલાઈના અંત સુધી પાણી ઘટે તેવી કોઈ શક્યતા જણાતી નથી.ત્યારે પીવાનું પૂરતું પાણી ઉપલબ્ધ હોવાનું સિંચાઇ વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.