જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમામાં કુલ 9 શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી મોત

જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી કરૂણ મોત નિપજ્યા હતા.

New Update
  • ગિરનારની લીલી પરિક્રમાનો થયો છે પ્રારંભ

  • શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે કરી રહ્યા છે પરિક્રમા

  • બે દિવસમાં 9 ભાવિકોના થયા મોત

  • હૃદયરોગના હુમલાથી નિપજ્યા મોત

  • પરિક્રમામાં પ્રથમ વખત સર્જાઈ હૃદયરોગની ઘટના 

જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી કરૂણ મોત નિપજ્યા હતા.

જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.જોકેઆ પરિક્રમા દરમિયાન માત્ર બે દિવસમાં જ 9 ભાવિકોના હૃદયરોગના હુમલાથી મોત થયા છે.પરિક્રમામાં 36 કિલોમીટરનું અંતર પરિક્રમાવાસીઓએ ચાલીને પૂરું કરવાનું હોય છે,ત્યારે સાહસિક આ પરિક્રમા અસ્વસ્થ શ્રદ્ધાળુઓના જીવ માટે જોખમરૂપ પણ સાબિત થાય છે,જોકે પરિક્રમાના ઇતિહાસમાં પ્રથમ વખત 9 શ્રદ્ધાળુઓના હૃદયરોગથી મોત નિપજ્યા છે.જે માંથી 8 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

મૃતકોમાંજસદણ,અમરસર,દેવળા,ગાંધીધામ,મુંબઈ,અમદાવાદ અને રાજકોટના 3 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા.હૃદયરોગના હુમલામાં 50 વર્ષથી 70 વર્ષના શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા.

મૃતક નામની યાદી:

  1. મુળજી લોખીલ - રાજકોટ
  2. મનસુખભાઈ     - રાજકોટ
  3. અરવિંદ સિંધવ - રાજકોટ
  4. પરસોત્તમ ભોજાણી - જસદણ
  5. હમીર લમકા - અમરસર
  6. રસિક ભરડવા - દેવળા
  7. આલા ચાવડા - ગાંધીધામ
  8. અરુણ ટેલર - મુંબઈ
  9. નટવર લાલ પટેલ - અમદાવાદ 
Read the Next Article

સુરત : એરપોર્ટને નડતરરૂપ બહુમાળી ઈમારતનો મુદ્દો ગરમાયો,ક્રેડાઈ દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

New Update
  • એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના સર્વેનો મામલો

  • ક્રેડાઈ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજૂઆત

  • એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવશે માહિતી

  • નડતરરૂપ બિલ્ડિંગ અંગે આપવામાં આવશે માહિતી

  • બિલ્ડિંગ ઓનર દ્વારા ન્યાયાલય સમક્ષ ન્યાયની માંગ  

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઝડપથી આ દિશામાં કોઈ નિર્ણય લેશે તેવી આશા બંધાઈ છે. તો બીજી તરફ ક્રેડાઈ દ્વારા આ મામલે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદમાં થયેલી ઘટના બાદ હવે સુરતના લોકોના પણ જીવ તાળવે ચોંટી ગયા છે. માત્ર ઈમારતમાં રહેતા લોકો જ નહીં પરંતુ જે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે તેમના માટે પણ આ એક મોટો ચિંતાનો વિષય છે. નડતરરૂપ બિલ્ડિંગોને દૂર કરવામાં આવે તો સુરતમાં આવતી ફ્લાઇટ કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી લેન્ડિંગ થઈ શકશે. આ બાબતને લઈને કલેક્ટરે પણ પોતાની ગંભીરતા હાલ દાખવી છે. નડતરરૂપ બિલ્ડિંગો કઈ કઈ છે તે અંગે માહિતી એરપોર્ટ ઓથોરિટી આપી શકે છે. તેમની સૂચના બાદ જ જે બિલ્ડિંગો નડતરરૂપ જણાશે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને જાણ કરશે કઈ કઈ બિલ્ડિંગોનો કેટલો ભાગ ઉતારી લેવા જેવો છે અને ત્યાર બાદ કલેક્ટર કોર્પોરેશન પાસે મેનપાવર અને મશીનરી પાવર માંગી નડતર દૂર કરવાની કાર્યવાહી કરશે.જોકે આ બધી કાર્યવાહીને પગલે બિલ્ડીંગ ઓનરોમાં ફફડાટ વ્યાપી ગયો છે,અને તેઓએ આ મુદ્દે કોર્ટ સમક્ષ ન્યાયની માંગ કરી છે.