જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમામાં કુલ 9 શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી મોત

જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી કરૂણ મોત નિપજ્યા હતા.

New Update
  • ગિરનારની લીલી પરિક્રમાનો થયો છે પ્રારંભ

  • શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે કરી રહ્યા છે પરિક્રમા

  • બે દિવસમાં 9 ભાવિકોના થયા મોત

  • હૃદયરોગના હુમલાથી નિપજ્યા મોત

  • પરિક્રમામાં પ્રથમ વખત સર્જાઈ હૃદયરોગની ઘટના 

જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી કરૂણ મોત નિપજ્યા હતા.

જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.જોકેઆ પરિક્રમા દરમિયાન માત્ર બે દિવસમાં જ 9 ભાવિકોના હૃદયરોગના હુમલાથી મોત થયા છે.પરિક્રમામાં 36 કિલોમીટરનું અંતર પરિક્રમાવાસીઓએ ચાલીને પૂરું કરવાનું હોય છે,ત્યારે સાહસિક આ પરિક્રમા અસ્વસ્થ શ્રદ્ધાળુઓના જીવ માટે જોખમરૂપ પણ સાબિત થાય છે,જોકે પરિક્રમાના ઇતિહાસમાં પ્રથમ વખત 9 શ્રદ્ધાળુઓના હૃદયરોગથી મોત નિપજ્યા છે.જે માંથી 8 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

મૃતકોમાંજસદણ,અમરસર,દેવળા,ગાંધીધામ,મુંબઈ,અમદાવાદ અને રાજકોટના 3 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા.હૃદયરોગના હુમલામાં 50 વર્ષથી 70 વર્ષના શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા.

મૃતક નામની યાદી:

  1. મુળજી લોખીલ - રાજકોટ
  2. મનસુખભાઈ     - રાજકોટ
  3. અરવિંદ સિંધવ - રાજકોટ
  4. પરસોત્તમ ભોજાણી - જસદણ
  5. હમીર લમકા - અમરસર
  6. રસિક ભરડવા - દેવળા
  7. આલા ચાવડા - ગાંધીધામ
  8. અરુણ ટેલર - મુંબઈ
  9. નટવર લાલ પટેલ - અમદાવાદ
Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.